
ગીતકાર જાવેદ અખ્તરે પાકિસ્તાન વિરૂદ્ધ આવું તીક્ષ્ણ નિવેદન આપ્યું છે, જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. જાવેદે પાડોશી દેશને 26/11ના મુંબઈ હુમલાની યાદ અપાવતા અરીસો બતાવ્યો. તેમણે કહ્યું કે, તમારા દેશમાં આતંકવાદીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે. આ નિવેદન માટે ભારતમાં જાવેદ અખ્તરની ઘણી પ્રશંસા થઈ રહી છે. ગીતકાર વિરુદ્ધ બોલનાર કંગના રનૌત પણ તેમના સમર્થનમાં આવી છે. કંગનાએ જાવેદ અખ્તરના વખાણ કરતી એક પોસ્ટ પણ લખી છે.
કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું, 'જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળતી હતી, ત્યારે મને લાગતું હતું કે કેવી રીતે માતા સરસ્વતીજીની તેમના પર આટલી કૃપા છે. પણ જુઓ, આ મનુષ્યમાં કંઈક સત્ય હોય છે, તેથી જ તેમની સાથે ભગવાન હોય છે... જય હિંદ, જાવેદ અખ્તર સાહબ. 'ઘરમાં ઘુસીને માર્યા... હાહાહા. કંગના રનૌતને જાવેદ અખ્તરના વખાણ કરતી જોઈને ઘણાને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ જે રીતે પોતાના વિવાદ અને ફરિયાદોને ભૂલીને જાવેદ અખ્તરની પ્રશંસા કરી છે, યુઝર્સે તેના વખાણ કર્યા છે.
Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳
— Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023
Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF
જાવેદ અખ્તરે ફૈઝ ફેસ્ટિવલમાં કહ્યું, 'અમે નુસરત અને મેહદી હસન માટે મોટા-મોટા ફંક્શનનું આયોજન કર્યું હતું. પરંતુ તમારા દેશમાં લતા મંગેશકરનું કોઈ મોટું ફંક્શન નહોતું થયું. તો વાસ્તવિકતા એ છે કે, હવે આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, મહત્વની વાત એ છે કે આ દિવસોમાં જે વાતાવરણમાં ગરમી છે, તે ઓછી થવી જોઈએ. અમે બોમ્બેના લોકો છીએ, અમે જોયું કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો. તે લોકો નોર્વેથી તો નહોતા આવ્યા કે ન તેઓ ઇજિપ્તથી આવ્યા હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. તેથી જો આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.'
2020માં જાવેદ અખ્તરે કંગના રનૌત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગનાએ ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં તેમની વિરુદ્ધ વાંધાજનક વાતો કહી હતી. ત્યારથી બંને વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જાવેદ અખ્તર સાથે ચાલી રહેલી લડાઈમાં કંગનાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કંગનાએ કહ્યું કે, 'જ્યારે તેણે પૂર્વ બોયફ્રેન્ડ રિતિક રોશનની માફી માંગવાની ના પાડી તો જાવેદ અખ્તરે ગુસ્સામાં તેને ધમકી આપી હતી. ગીતકારે તેમનું અપમાન કર્યું હતું.'
કંગનાના આ વખાણ પર જાવેદ અખ્તરની પ્રતિક્રિયાની તેમના ચાહકો રાહ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp