જાણો રસ્તા પર કેમ સૂઈ ગયા અભિનેતા પવન કલ્યાણ, પોલીસે કસ્ટડીમાં લીધા

PC: gulte.com

તેલેગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષ એન. ચંદ્રબાબુ નાયડુના ભ્રષ્ટાચારના કથિત કેસમાં ધરપકડ માટે કરવાનો વિરોધ કરી રહેલા નસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ અને તેમના વરિષ્ઠ નેતા નાદેંડલા મનોહરને NTR જિલ્લામાં સાવધાનીના ભાગ રૂપે કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે, પોલીસના જણાવ્યા મુજબ, તેમણે વિજયવાડા રહ્યા છે અને તેમની વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પવન કલ્યાણએ શનિવારે નંદયાલામાં ચંદ્રબાબુ નાયડુની ધરપકડની નિંદા કરી હતી અને પૂર્વ મુખ્યમંત્રીનું સમર્થન કરવા માટે વિજયવાડા તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે પવન કલ્યાણને હૈદરાબાદથી વિજયવાડા માટે ઉડાણ ભરવાની મંજૂરી ન આપી. ત્યારબાદ તેમણે રોડ માર્ગે પોતાની યાત્રા શરૂ કરી. શનિવારે તેમના કાફલાને NTR જિલ્લામાં બે વખત રોકવામાં આવ્યો. પવન કલ્યાણ અનુમંચીપલ્લીમાં રોડ પર સૂઈ ગયા. ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુને રવિવારે સવારે ACBની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ સિદ્ધાર્થ લૂથરા અને વકીલોની એક ટીમ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

TDPના વરિષ્ઠ નેતા અને પાર્ટીના કાર્યકર્તા કોર્ટ પરિસરમાં ભેગા થયા. ચંદ્રબાબુ નાયડુને શનિવારે મોડી રાત્રે 03:40 વાગ્યે મેડિકલ તપાસ માટે વિજયવાડા સરકારી જનરલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અગાઉ તેમની અહી કૂંચપલ્લી સ્થિત CIDની SIT કાર્યાલયમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. હૉસ્પિટલમાં લગભગ 50 મિનિટ સુધી થયેલી મેડિકલ તપાસ બાદ નાયડુને પરત SIT કાર્યાલય લઈ જવામાં આવ્યા હતા, જ્યારે એવી સંભાવના હતી કે તેમને સીધા સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

TDP પ્રવક્તા પટ્ટાભિ રામ કોમાંરેડ્ડી એ કહ્યું કે, પાર્ટી પ્રમુખ દીકરો નારા લોકેશ, તેમની પત્ની નારા ભુવનેશ્વરી અને અન્ય લોકો ACB કોર્ટમાં રાહ જોઈ રહ્યા હતા. કોમારેડ્ડીએ કહ્યું કે, અમે વિચાર્યું હતું કે તેમણે (નાયડુ) કોર્ટ લઈ જવામાં આવશે, પરંતુ તેઓ પાછા SIT કાર્યાલય લઈ ગયા. લોકેશ અને ભુવનેશ્વરી કોર્ટમાં રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અચાનક કાફલો SIT કાર્યાલય તરફ વળી ગયો. CIDની ટીમે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની શનિવારે સવારે 06:00 વાગ્યે નંદયાલ શહેરના જ્ઞાનપુરા સ્થિત આર.કે. ફંક્શન હૉલ બહારથી ધરપકડ કરવામાં આવી હતી. નાયડુની ધરપકડ એવામાં સમયે કરવામાં આવી, જ્યારે તેઓ બધી સુવિધાઓથી લેસ પોતાની બસમાં સૂઈ રહ્યા હતા.

આંધ્ર પ્રદેશ પોલીસે કથિત કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં નાયડુને શનિવારે ‘મુખ્ય ષડયંત્રકારી’ બતાવ્યા હતા. એવો આરોપ છે કે, આ કથિત કૌભાંડથી રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું. TDPએ નાયડુની ધરપકડના વિરોધમાં રવિવારે આખા આંધ્ર પ્રદેશમાં સામૂહિક ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp