રાખી સાવંતે આદિલ ખાન દૂર્રાનીના પરિવાર પર લગાવ્યા મોટા આરોપ

ડ્રામા કવિન રાખી સાવંતાનો પતિ આદિલ ખાન દૂર્રાની હાલમાં મૈસૂર પોલીસની કસ્ટડીમાં છે. થોડા દિવસ અગાઉ રાખી સાવંતે તેના પર છેતરપિંડી, મારામારી સહિતના અનેક આરોપ લગાવ્યા છે. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેના પર ઘણા લાગ્યા અને નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. મૈસુરમાં પણ આદિલ ખાન વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. તેથી તેની કસ્ટડી મૈસૂર પોલીસને આપવામાં આવી હતી. રાખી સાવંત પણ મૈસૂર પહોંચી છે, જ્યાં તેણે આદિલના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

રાખી સાવંતે કોર્ટ બહાર મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે આદિલનો પરિવાર તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને તેઓ આ લગ્ન સ્વીકારતા નથી કારણ કે રાખી હિન્દુ છે. રાખી સાવંતે રડતા રડતા કહ્યું કે, ‘તેણે (આદિલ ખાન દૂર્રાની) મારી સાથે લગ્ન કર્યા છે. મને ન્યાય જોઈએ છે. આજે સવારે મેં તેના પિતા સાથે વાત કરી. તેણે મને કહ્યું કે, હું હિન્દુ હોવાના કારણે તેઓ મને સ્વીકારી શકે તેમ નથી. જ્યારે મેં કહ્યું કે, ઇસ્લામ કબૂલ કરીને તેના પુત્ર સાથે લગ્ન કરી લીધા છે, હવે તે મારો ફોન ઉપાડતા નથી.

રાખી સાવંત એમ પણ કહે છે કે, આદિલ તેને વારંવાર છૂટાછેડાની ધમકી આપી રહ્યો છે, પરંતુ તે તેને છૂટાછેડા નહીં આપે. આદિલ મને છૂટાછેડાની ધમકી આપી રહ્યો છે, પરંતુ હું તેને છૂટાછેડા આપવા માગતી નથી. હું તેની પત્ની છું. તેના પિતાએ મારી સાથે ખરાબ રીતે વાત કરી છે. હું મૈસૂરમાં કોઈને ઓળખાતી નથી, પરંતુ મને ન્યાય જોઈએ છે. મારી પાસે લગ્નના બધા કાગળ છે. હવે હું ક્યાં જાઉ છું કરી?

તે આદિલને એક વર્ષ અગાઉ મૈસૂરમાં જ મળી હતી. ત્યારબાદ 8 મહિના અગાઉ લગ્ન કર્યા હતા. તેણે આદિલ સાથે લગ્ન માટે ઇસ્લામ સ્વીકાર્યો હતો. આ સાથે જ તેમના લગ્ન પણ મુંબઈમાં નોંધાયા હતા. આદિલે પણ રાખી સવંતને બાળકને જન્મ આપવાનું વચન આપ્યું હતું. એ સિવાય રાખી સાવંતે એમ પણ કહ્યું કે તેણે આદિલ પર 1.60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

તેણે પોતાના પતિ પર ટૉર્ચર કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, મેં મારા ઘરેણાં વેચી દીધા. તેણે મારી પાસેથી બધુ છીનવી લીધું અને મને ત્રાસ આપવાની શરૂઆત કરી. તેનું મૈસૂરમાં ઇરાની યુવતી સાથે 5 વર્ષથી અફેર હતું. જેણે તેના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. ઈરાની યુવતીએ તેને મેસેજ કર્યો હતો કે આદિલ તેની સાથે માત્ર પૈસા માટે હતો. તેણે ઈરાની યુવતીનો જે રીતે ઉપયોગ કર્યો તે જ રીતે તેણે રાખીનો ઉપયોગ કર્યો છે. દુબઈમાં ઘર અપાવવાના વચન પણ ખોટા હતા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.