રણવીર સિંહના આ નિર્ણયથી નારાજ થયા હતા તેના પિતા

રણવીર સિંહ એવો સ્ટાર છે જે તેના અભિનય માટે જાણીતો છે. એક્ટર પોતાની કારકિર્દીમાં કોઈપણ પ્રકારના રિસ્ક લેવાથી ગભરાતા નથી, પરંતુ તેઓ એવી વસ્તુઓ પણ ટ્રાય કરે છે જેને કરવું કોઈ બીજા હીરો માટે અશક્ય હોય. આમ તો હવે રણવીર સિંહ  એક એવા મુકામ પર પહોંચી ગયો છે કે જેનાથી તેના માતા-પિતાને એક્ટર પર ગર્વ હશે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે રણબીરના પિતા તેનાથી નારાજ થઈ ગયા હતા અને તેની પાછળનું કારણ રણવીરનો એક નિર્ણય હતો.

 
View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીરના પિતા થયા હતા નારાજ

રણવીર સિંહને બોલિવુડના અગ્રણી એક્ટરોમાંના એક ગણવામાં આવે છે. તેણે હંમેશા મુશ્કેલથી મુશ્કેલ રોલને પણ ખુબ જ ઇમાનદારી સાથે  નિભાવ્યો છે એ જ કારણ છે કે વિતતા સમયની સાથે રણવીર એક મોટા સ્ટારના રૂપમાં ઊભરી આવ્યો છે. રણવીરના દરેક કાર્યમાં તેનો પરિવાર હંમેશા તેની સાથે ઊભો રહ્યો, પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે રણવીરના પિતા એક્ટરની એક જાહેરાત જોઈને ગુસ્સે થઈ ગયા હતા.

જાહેરાતને કારણે ગુસ્સે થયા હતા રણવીરના પિતા

રણવીર સિંહે ઘણીવાર એ વાતને માની છે કે તેનો તેના પિતા સાથે ખૂબ જ મજબૂત સંબંધ છે. તે ઘણી વાર કહી ચૂક્યો છે કે તેના પિતાએ તેના સારા અને ખરાબ બંને સમયમાં તેનો સાથ નથી છોડયો. જો કે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે રણવીર સિંહ સાથે તેના પિતા નારાજ થઈ ગયા હતા. વર્ષ 2014મા રણવીરે જણાવ્યું હતું કે એકવાર તેના પિતાએ તેને કહ્યું હતું કે જાહેરાતનું શૂટિંગ કરીને ઘણા મોટા સ્ટારર્સ સારા એવા પૈસાની કમાણી કરી રહ્યા છે, તું પણ આવું કેમ નથી કરતો.

રણવીર સિંહે પોતાના પિતાને કહ્યું હતું કે, યોગ્ય સમય આવવા પર તે પણ આવું કરશે. ત્યાર પછી જ્યારે તેણે પોતાના પિતાને કોન્ડમ કંપનીની એક જાહેરાત માટે આવેલી ઓફર વિશે જણાવ્યું તો તેઓ કંઈ વધુ ખુશ નહીં થયા હતા. તેમણે તે સમયે રણવીરને બસ એટલું કહ્યું હતું કે આશા છે કે તું જાણે છે કે તું શું કરી રહ્યો છે.

 
View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીરની આવનારી ફિલ્મો

એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ગત દિવસો દરમિયાન ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળ્યો હતો. એક્ટરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તે સિંઘમ રિટર્નમાં જોવા મળશે અને તેનું ડિરેક્શન રોહિત શેટ્ટી કરી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.