આખરે કેમ શાહરુખ, સલમાન સાથે ફિલ્મ નથી કરતો રિતિક, આ છે દર્દભરી કહાની

એવા સમાચાર મળી રહ્યા છે કે આદિત્ય ચોપડા એક મોટી ફિલ્મ પ્લાન કરી રહ્યી છે, જેમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને રિતિક રોશન નજરે પડશે. ફિલ્મનું નામ ‘વાર 2’ કહેવામાં આવી રહ્યું છે, જેમાં સલમાન ખાનની ટાઈગર અને શાહરુખ ખાનની પઠાનવાળી ભૂમિકા પણ રહેશે. આ એક સ્પાઇ ફિલ્મ હશે, પરંતુ એ વાત પણ સુધી સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે, શાહરુખ અને સલમાન ખાન પરદા પર દેખાશે, પરંતુ રિતિક રોશન સાથે ફિલ્મમાં બંને સામનો નહીં થાય.
હકીકતમાં આખો મામલો ત્રણ સ્ટ્રારોની વિતેલી વાતોનો છે. રિતિક રોશનની સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે લાંબા સમયથી નારાજગી ચાલી રહી છે. આ સ્ટાર ભલે જ ખુલ્લી રીતે જાહેર ન કરે, પરંતુ ઇન્ડસ્ટ્રીના જાણકાર બતાવે છે કે, એ હકીકત છે. એવામાં એ લગભગ નક્કી છે કે ત્રણેય ભવિષ્યમાં એક સાથે પરદા પર નજરે નહીં પડે. શાહરુખ ખાને રિતિક અને સલમાન ખાન બંને સાથે કામ કર્યું છે. શાહરુખ ખાન સાથે રિતિક રોશન વર્ષ 2001માં રીલિઝ થયેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં નજરે પડ્યો હતો, પરંતુ ત્યારબાદ એવું કંઈક થયું કે બંને વચ્ચે અણબનાવ થઈ ગયો.
જાણકારોનું કહેવું માનીએ તો એ વાતની સંભાવના ઓછી છે કે રિતિક રોશન, શાહરુખ ખાન સાથે શૂટિંગ કરશે. કારણ રિતિક રોશનની શાહરુખ ખાન સાથે ચાલતી આવતી વર્ષો જૂની નારાજગી છે. લગભગ 2 દશક અગાઉ એક પોપ્યુલર એવોર્ડ શૉમાં સેફ અલી ખાન અને શાહરુખ ખાને મળીને રિતિક રોશનની વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ની ખૂબ મજાક ઉડાવી હતી. આ શૉમાં આ બંને ‘કોઈ મિલ ગયા’ના પાત્ર જાદુનો ડ્રેસ પહેરીને સ્ટેજ પર આવ્યા હતા અને કહી રહ્યા હતા કે ફિલ્મનો અસલી હીરો તો જાદુ છે. રિતિક તો સેકન્ડ ક્લાસ સ્ટાર છે.
તેનાથી રિતિક રોશન ખૂબ નારાજ થયો હતો. રિતિક રોશને પબ્લિકલી આ વાત કહી નથી, પરંતુ આ ઘટના બાદ તેણે શાહરુખ ખાનથી દૂરી બનાવી લીધી. જ્યારે શાહરુખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ આવી તો ફિલ્મના એક સોંગમાં ઇન્ડસ્ટ્રીના લગભગ બધા મોટા સ્ટરોએ ભાગ લીધો હતો, પરંતુ રિતિક રોશને કહ્યું કે તે ‘જોધા અકબર’ની શૂટિંગમાં વ્યસ્ત છે. સાચું કે ખોટું જે પણ હોય, પરંતુ રિતિક રોશનને જાણનારા લોકો કહે છે કે આ એવોર્ડ શૉમાં જે પણ થયું, ત્યારબાદ રિતિકની નજરમાં શાહરુખ ખાન એ ન રહ્યો જે તે થયા કરતો હતો.
સલમાન ખાન સાથે પણ રિતિકનો જૂનો પંગો છે. 10 વર્ષથી વધારે વર્ષ થઈ ચૂક્યા છે. રિતિકની વર્ષ 2010માં એક ફિલ્મ ‘ગુજારીશ’ આવી હતી. સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ડિરેક્ટ કરી હતી અને સલમાન ખાનની જૂની ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય તેમાં હતી. સલમાને આ ફિલ્મની રીલિઝ દરમિયાન એક કાર્યક્રમાં ઇશ્યૂ બેઝ્ડ ફિલ્મના સવાલ પર કહ્યું હતું કે, તેને કોઈ કૂતરો પણ નહીં જોય. ‘ગુજારીશ’ ઈચ્છા મૃત્યુ જેવા ગંભીર વિષય પર હતી. ત્યારે ખૂબ વિવાદ થયો અને કહેવામાં આવ્યું કે, સલમાન ખાને આ ટિપ્પણી ગુજારીશ પર કરી હતી. આ ટિપ્પણી પર સંજયલીલા ભણસાલી અને રિતિક રોશને ખૂલીને નારાજગી વ્યક્ત કરી હતી. રિતિકની પહેલા પણ સલમાન સાથે દોસ્તી નહોતી, પરંતુ પછી તેઓ વધુ દૂર થઈ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp