નુક્કડ સિરિયલથી ફેમસ બનેલા સમીર ખખ્ખરની દુનિયાને અલવિદા

તમને યાદ હશે કે વર્ષો પહેલા દુરદર્શન પર નુક્કડ કરીને એક સિરિયલ આવતી હતી તેમાં ખોપડીનું પાત્ર ભજવનાર સમીર ખખ્ખરે દુનિયાને અલવિદા કરી દીધી છે. આ સિરયલમાં ખોપડીના પાત્રથી તેઓ જાણીતા બન્યા હતા અને તેમણે શાહરૂખ સાથે સર્કસમાં પણ કામ કર્યુ હતું. હજુ તો દિગ્ગજ એકટર સતીશ કૌશિકના આઘાતમાંથી બોલિવુડ ઇન્ડસ્ટ્રી બહાર નથી આવી ત્યાં અન્ય દિગ્ગજ કલાકારે એક્ઝિટ લઇ લેતા બોલિવુડમાં શોક છવાયો છે.

સમીર ખખ્ખરના પુત્ર ગણેશ ખખ્ખરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા પિતા 71 વર્ષના હતા અને તેમને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેઓ બેહોશ થઇ રહ્યા હતા. એ પછી તબીબને બોલાવવામાં આવ્યા, તબીબની સુચનાથી  બોરિવલીની એક હોસ્પિટલમાં  ICUમાં દાખલ કરવામાં આવ્યા. એ પછી તેમને યૂરિનની મુશ્કેલી ઉભી થતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ધીમે ધીમે તેમના ઓર્ગેન ફેઇલ થવા માંડ્યા. પિતા વહેલી સવારે 4-30 વાગ્યે અવસાન પામ્યા હતા. બુધવારે સવારે સમીર ખખ્ખરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સમીર ખખ્ખર 90ના દશકમાં ફિલ્મોમાં જાણીતો ચહેરો હતા. તેમમે પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે, રાજા બાબુ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું. 1996માં ખખ્ખર અમેરિકા જઇને વસ્યા હતા અને અમેરિકા જઇને તેમણે એક્ટિંગ છોડી દીધી હતી અને જાવા કોડર તરીકે જોબ શરૂ કરી હતી. 2008માં સમીર ખખ્ખરની નોકરી છુટી ગઇ હતી. અમેરિકામાં તેમને કોઇ એકટર તરીકે જાણતું નહોતું એટલે તેમણે અન્ય નોકરી કરવી પડી હતી.

સમીર ખખ્ખરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકાથી ભારત પાછા આવીને મિત્રો પાસે એક્ટિંગનું કામ માંગવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યુ હતું કે, મને એ વાતની ખબર હતી કે એ એકટર સારો નથી કહેવાતો જે ચારો તરફ કામની માંગ કરતો રહેતો હોય. ખખ્ખરે કહ્યું હતું  કે, મને એ વાતની પણ જાણ હતી કે જે લોકો મારા કામને ઓળખે છે તેઓ જરૂર હશે તો ચોક્કસ મારો સંપર્ક કરશે.

સમીર ખખ્ખરે પોતાની કારકિર્દીની શરૂઆત નુકક્ડ સિરિયલથી કરી હતી એ પછી તેમણે શાહરૂખ સાથેની સર્કસ સિરિયલમાં ચિંતામણિનું પાત્ર ભજવ્યું હતું. એ ઉપરાંત તેમણે  શ્રીમાન શ્રીમતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. સંજીવનીમાં ગુડ્ડ માથુરનો રોલ પણ લોકોએ પસંદ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.