મહાકાલના દર્શન પર ટ્રોલ થયેલી સારા અલીખાને આપ્યો આ જડબાતોડ જવાબ

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને ઉજ્જૈનમાં મહાકાલમાં ભોલેનાથના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. સારાને વિધી વિધાન મુજબ પૂજા કરતી જોઈને કેટલાક મુસ્લિમ લોકોને પસંદ નહોતું આવ્યું અને મુસ્લિમ હોવાના કારણે મંદિરમાં પૂજા કરવા બદલ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.પરંતુ હવે સારા અલી ખાને મંદિરમાં પૂજા કરવાને લઈને ટ્રોલ થવા પર મૌન તોડ્યું છે.સારાએ ટ્રોલર્સને જડબાતોડ આપ્યો છે.

સૈફ અલી ખાનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન અત્યારે ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.સોમવારે IPL 2023ની ગુજરાત ટાઇટન્સ અને CSK વચ્ચેની ફાઇનલ મેચમાં સારા અલી ખાન અને અભિનેતા વીકી કૌશનલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર ગુજરાત ટાઇટન્સનું સમર્થન કરવા પહોંચ્યા હતા. મેદાન પર વીકી કૌશલ અને સારા અલી ખાને મેદાન પર એંકરો સાથે વાતચીત કરી હતી.

હવે સારા અલી ખાન મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા ભગવાન શિવના મંદિર મહાકાલના દર્શન કરવા માટે પહોંચી છે તો કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી. સારાએ મહાકાલ મંદિર જવા પર અભિનેત્રીએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે, લોકો જે ઈચ્છે તે કહી શકે છે. મને વાંધો નથી. તમને સ્થળની ઉર્જા ગમવી જોઈએ. હું ઊર્જામાં માનું છું. હું મારા કામને ખૂબ જ ગંભીરતાથી લઉં છું.

આ સાથે સારાએ કહ્યું ,હું લોકો માટે તમારા માટે કામ કરું છું. જો તમે મને પસંદ ન કરો તો મને ખરાબ લાગશે. પણ મારી કેટલીક અંગત માન્યતાઓ છે. હું એ જ ભક્તિ સાથે અજમેર શરીફ જઈશ જે ભક્તિ સાથે હું બાંગ્લા સાહિબ કે મહાકાલમાં જઈશ. લોકો જે ઈચ્છે તે કહી શકે છે.મને કોઈ વાંધો નથી

ખાસ વાત એ છે કે સારા અલી ખાને મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. મંદિર સમિતિની ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે મહિલાઓએ સાડી પહેરવી જરૂરી છે. તો અભિનેત્રીએ પિંક કલરની સાડી પહેરી હતી અને વિધી અનુસાર પૂજા કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સામે આવી રહેલી તસ્વીરમાં જોવા મળે છે કે મહાકાલ મંદિરાં આવેલા કોઠી તીર્થ કંડ પાસે અભિનેત્રી ભક્તિભાવમાં લીન થયેલી જોવા મળી રહી છે.સારા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર મહાકાલની તસ્વીરો શેર કરીને લખ્યુ છે ‘જય મહાકાલ’.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.