'સસુરાલ સિમર કા' સિરિયલના એક્ટર આશિષ રોયનું નિધન

2020ના આખા વર્ષ દરમિયાન ઘણી જાણીતી હસ્તીઓએ આ દુનિયાને અલંવિદા કહી દીધું છે. કોરોનાની સાથે લોકોને તેમના પસંદગીના કલાકારોને અલવિદા કહેવું પડ્યું છે. તેવામાં થોડા સમય પહેલા લીના આચાર્યનું કિડની ફેલ થવાને લીધે મોત થયું હતું અને હવે ફરીથી એક્ટર આશિષ રોયનું પણ નિધન થઈ ગયું છે. આશિષ રોયનું પણ કિડનીની સમસ્યાને લીધે નિધન થયું છે. આશિષ રોય ઘણા વર્ષોથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. આશિષ રોયે તેમના ઘરેમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમતિ બહલે આ અંગેની પુષ્ટી આપી હતી. તેમણે કહ્યું હતું કે આશિષ રોયનું તેમના ઘરે નિધન થયું છે. ડાયરેક્ટર અરવિંદ બબ્બલે મને ફોન પર તેની જાણકારી આપી હતી.

ઘણી ફિલ્મો અને ટીવી શોમાં ભૂમિકા ભજવનાર આશિષ રોયની આર્થિક સ્થિતિ પણ સારી નહતી. તેમની પાસે ઈલાજના પૈસા પણ ન હતા. આ વર્ષના મે મહિનામાં તેમણે પોતાના ફેસબુક પેજ પર ઈન્ડ્સ્ટ્રી અને બીજા લોકો પાસે મદદની માંગણી કરી હતી. કિડનીની સમસ્યાને કારણે તેમનું ડાયાલિસીસ ચાલી રહ્યું હતું,જેના માટે તેમને પૈસાની સખત જરૂર હતી. જાન્યુઆરી 2020માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી તેમની તબિયત બગડતી જ જતી હતી.

જેથી તેમણે અંતમાં સોશિયલ મીડિયા પર ભગવાનને મોત આપવાની માગણી કરતી પોસ્ટ કરી હતી. 2019માં આશિષને પેરાલિટીક એટેક આવી જતા તેમને લકવો મારી ગયો હતો, જેના કારણે તેમણે હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં આશિષે કહ્યું હતું કે, 2019માં લકવો મારી જવા પછી તે સારા થઈ ગયા હતા, પરંતુ તેમને કોઈ કામ મળતું ન હતું. કામ ન મળવાને લીધે તેમની બધી બચાવેલી રકમ પરિવારના ગુજરાન પાછળ ખર્ચાવા લાગી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Ashiesh Roy (@ashieshroy)

તેમણે કહ્યું હતું કે જો ઈન્ડ્સ્ટ્રીમાં તેમને કામ ન મળ્યું તો તેમની હાલત ખરાબ થઈ જશે. મદદ ન મળતા તેમણે કોલકાતા રહેતી તેમની બહેનને ત્યાં શિફ્ટ થવું પડ્યું હતું. તેમની બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ ગઈ હતી અને તેમના શરીરમાં 9 લીટર પાણી ભરાઈ ગયું હતું, જેથી તેમણે ડાયાલિસીસ કરવાની ફરજ પડી હતી. આશિષ રોયે સુસરાલ સિમર કા, બનેગી અપની બાત, બ્યોમકેશ બક્ષી, યસ બોસ, બા બગુ ઔર બેબી, મેરે આંગન મેં, કુછ રંગ પ્યાર કે એસે ભી અને આરંભ જેવી ડઝનો ટીવી ચેનલોમાં કામ કર્યું છે. ટીવી સિવાય તેમણે હોલિવુડની ફિલ્મોમાં ડબિંગ પણ કર્યું છે. તે એક વોઈસ આર્ટીસ્ટ પણ હતા અને તેમણે સુપરમેન રિટર્ન્સ, ધ ડાર્ક નાઈટ, ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી, ધ લિજેન્ડ ઓફ ટારઝન અને જોકર જેવી ફિલ્મોમાં અલગ અલગ પાત્રો માટે ડબિંગ પણ કર્યું છે.   

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

પાકિસ્તાનના રહસ્યમય સ્પિનર, ઉસ્માન તારિક, એક અનોખી બોલિંગ એક્શન ધરાવે છે. તેનો રન-અપ સામાન્ય છે, પરંતુ બોલ...
Sports 
શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી

જાણીતા અભિનેતા રાજપાલ યાદવ હાલ ચર્ચામાં છે. 9 કરોડનું દેવું ન ચૂકવવાના કારણે તેમણે 5 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં સરન્ડર કર્યું...
Entertainment 
રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી

સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા

  શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી સોય શેરીમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર ચાર દિવસ પહેલા જ divyabhaskar.co.in...
Gujarat 
સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા

એપ્સટિન ફાઇલ: આરોપો પર કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી આપ્યો જવાબ, રાહુલનું નામ લઈ કહ્યું...

રાહુલ ગાંધીએ આરોપો લગાવ્યા પછી હરદીપ સિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિગતવાર સ્પષ્ટતા આપી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ...
National 
એપ્સટિન ફાઇલ: આરોપો પર કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી આપ્યો જવાબ, રાહુલનું નામ લઈ કહ્યું...

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.