સતીશ કૌશિક ફાર્મહાઉસ ક્યારે પહોંચ્યા, ત્યાં શું થયું? તપાસમાં લાગી પોલીસ

બોલિવુડના જાણીતા એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકના નિધનથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. મોતના એક દિવસ અગાઉ સતીશ કૌશીકે હોળી પાર્ટી કરી હતી. અચાનક જ મોડી રાત્રે તેમની તબિયત બગડી ગઈ. એક્ટરને બચાવવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એક શાનદાર એક્ટર, કોમેડિયન અને ડિરેક્ટરને બોલિવુડે હંમેશાં ગુમાવી દીધા છે. દિલ્હી પોલીસ સતીશ કૌશિકના મોત અંગે તપાસમાં લાગી ગઈ છે. દિલ્હી પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, સતીશ કૌશિકની તબિયત જે ફાર્મહાઉસમાં બગડી, ત્યાં ક્યારે પહોંચ્યા હતા અને ત્યાં શું શું થયું?

એટલું જ નહીં, લોકો સતીશ કૌશિકને હૉસ્પિટલ લઈને પહોંચ્યા હતા, પોલીસ તેમના પણ સંપર્કમાં છે. સતીશ કૌશિક 7 માર્ચના રોજ મુંબઇમાં શબાના આઝમીના ઘરે હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. અહીં તેમણે નજીકનાઓ સાથે ખૂબ હોળી રમી હતી. તેમણે તેની તસવીરો પણ શેર કરી હતી. ત્યારબાદ તેઓ 8 માર્ચના રોજ દિલ્હીમાં પોતાના પરિવાર સાથે હોળી મનાવવા માટે પહોંચ્યા હતા. તેઓ બિજવાસનના ફાર્મહાઉસમાં હોળી રમવા પહોંચ્યા હતા. અહીં રાત્રે 11 વાગ્યે તેમને બેચેની અનુભવાઈ.

ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ. ત્યારબાદ તેમને ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટર્સે તેમને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેમને મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસને હોસ્પિટલ જવા અગાઉ કોઈ પ્રકારની જાણકારી નહોતી. એક્ટરના મોત બાદ હૉસ્પિટલ તરફથી પોલીસને જાણકારી આપવામાં આવી હતી. એવામાં પોલીસ બધા એંગળથી તપાસ કરી રહી છે. જો કે, પોલીસનું કહેવું છે કે શરૂઆતી તપાસમાં કંઈ શંકાસ્પદ લાગ્યું નથી.

દિલ્હી પોલીસે સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ દિલ્હીની હરિનગર સ્થિત દિનદયાલ હૉસ્પિટલમાં મેડિકલ બોર્ડ દ્વારા કરાવવાનો નિર્ણય લીધો છે. પોલીસનું કહેવું છે કે, ડેથ ટાઇમ, શું ખાધું-પીધું, મોતનું કારણ.. આ બધુ પોસ્ટમોર્ટમ થયા બાદ જ ક્લિયર થઈ શકશે. જે લોકો સતીશ કૌશિકને હૉસ્પિટલ લઈને ગયા હતા, પોલીસ તેમની સાથે પણ સંપર્કમાં છે. સતીશ કૌશિકના નિધનથી આખા બોલિવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક્ટર્સ અને સેલિબ્રિટીઓ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.