સતીશ કૌશિકના મોતનું કોકડું ગુંચવાઇ રહ્યું છે, હત્યાનો આરોપ લગાવનાર મહિલાએ...

દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે, જે મહિલાએ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકાના મોતમાં ષડયંત્રનો દાવો કર્યો હતો, તેણે હવે તપાસમાં સામેલ થવાની ના પાડી દીધી છે. 9 ફેબ્રુઆરીના રોજ મોત દરમિયાન જે બિઝનેસમેનના ફાર્મહાઉસમાં સતીશ કૌશિક રોકાયા હતા, તેની પત્નીએ દાવો કર્યો હતો કે, તેના પતિ અને કેટલાક અન્ય લોકો સતીશ કૌશિક મોત માટે જવાબદાર છે. તપાસ અધિકારીએ મહિલાને પૂછપરછમાં સામેલ થવા માટે સોમવારે 11:00 વાગ્યે બોલાવી હતી, પરંતુ તેણે એમ ન કર્યું.

મહિલાનું કહેવું છે કે, આ કેસમાં તપાસ અધિકારીને બદલી દેવામાં આવે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે તેની આપત્તિ જોઈ રહ્યા છીએ અને આગળ એ જ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરને મોકલેલી પોતાની ફરિયાદમાં મહિલાએ પોતાના પતિ પર 66 વર્ષીય એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિક વચ્ચે 15 કરોડ રૂપિયાની લેવડ-દેવડનો ઝઘડો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે, બંને વચ્ચે દુબઈમાં ઑગસ્ટ 2022મા પણ તેને લઈને બહેસ થઈ હતી.

મહિલાએ કહ્યું હતું કે, સતીશ કૌશિકે મારા પતિને રોકાણ માટે 15 કરોડ રૂપિયા આપ્યા હતા, જેને તેણે ન તો રોકાણ કર્યા અને ન તો પાછા આપ્યા. 9 માર્ચ 2023ના રોજ સવારે સતીશ કૌશિકનું મોત થઈ ગયું હતું. દિલ્હી પોલીસે શનિવારે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મોતનું કારણ હાર્ટ એટેક છે. અત્યાર સુધી તપાસમાં પોલીસે કોઈ પ્રકારની ગરબડી ન મળવાની વાત કહી છે. જો કે, મહિલાએ હત્યાનો દાવો કરીને સનસની મચાવી દીધી છે, પરંતુ અત્યારે તપાસ આગળ વધી શકી નથી. ઉલ્લેખનીય છે કે મહિલાનો પોતાના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે, તેના પતિ અને સાવકા પુત્ર પર રેપનો આરોપ લગાવ્યો હતો. જેની તપાસ ચાલી રહી છે.

આ મામલે વિકાસ માલૂનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા પોતાના ઉપર લાગેલા આરોપો પર સફાઇ આપી છે. તેણે લખ્યું કે, સતીશજી છેલ્લા 30 વર્ષથી મારો પરિવાર હતા અને દુનિયાને ખરાબ લાઇટમાં દેખાડવા માટે થોડી મિનિટ પણ ન લાગી. હું વિચારી પણ શકતો નથી, એ ટ્રેજેડી બાબતે જે મારી શાનદાર સેલિબ્રેશન બાદ થઈ. હું પોતાનું મૌન તોડવા માગુ છું અને કહેવા માગું છું કે, એક ટ્રેજેડી હંમેશાં આકસ્મિક હોય છે અને કોઈનું પણ તેના પર જોર હોતું નથી. તેની સાથે જ હું મીડિયાને આગ્રહ કરું છું કે બધાની ભાવનાઓની કદર કરે. અમારા બધા આગામી સેલિબ્રેશનમાં સતીશજીને મિસ કરવામાં આવશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.