સનીની ગદર 2 માટે વાતાવરણ તૈયાર કરે છે 22 વર્ષ પહેલાની ગદર, રી-રિલીઝની ટ્રીક સફળ

સની દેઓલ અને અમીષા પટેલની બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, નિર્માતાઓએ ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા'ને ફરીથી રિલીઝ કરવાનો આઈડિયા અપનાવ્યો અને 22 વર્ષ પહેલા બહાર પાડેલી ફિલ્મ  'ગદર એક પ્રેમ કથા'ને સિનેમાઘરોમાં રિલીઝ કરી, જે ગદર 2 માટે બજારમાં એક સારું વાતાવરણ તૈયાર કરી રહી છે.

2001માં 'ગદર એક પ્રેમ કથા'ની રજૂઆત પહેલાં, નિર્માતાઓએ ફિલ્મના ગ્રાફિક્સને 4K પર અપડેટ કર્યા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ફિલ્મ જોવા માટે ભારે ભીડ પણ ઉમટી રહી છે. આ સાથે, ગદરને ફરીથી રિલીઝ કરવાની નિર્માતાઓની આ યોજના કામ કરી રહી હોય તેવું લાગે છે, કારણ કે તે ગદર 2 માટે તેની રિલીઝ પહેલા સારા બિઝનેસની આશા વધારી રહી છે.

'ગદર એક પ્રેમ કથા'ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મ 9મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પણ 5 દિવસમાં સારો એવો બિઝનેસ કર્યો છે. ગદરે શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર 30 લાખ સાથે ખાતું ખોલાવ્યું હતું. જ્યારે, બીજા દિવસે 45 લાખ અને ત્રીજા દિવસે 55 લાખ એકત્રિત કર્યા. આ સાથે 'ગદર એક પ્રેમ કથા'એ શરૂઆતના સપ્તાહના અંતે 1.30 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું.

હવે ગદર રી-રિલિઝના કામકાજના દિવસોમાં થયેલી કમાણી વિશે વાત કરીએ તો ફિલ્મે સોમવારે 30 લાખનો બિઝનેસ કર્યો હતો. જ્યારે, મંગળવારે કલેક્શનમાં થોડો ઘટાડો થયો હતો. બૉલીવુડ મૂવી રિવ્યુના અહેવાલ મુજબ, ગદરે 13મી જૂનના રોજ 23 લાખ નેટ એકત્રિત કર્યા હતા.

ટૂંક સમયમાં ફરી એકવાર સની દેઓલનું એક્શન જોવા મળવાનું છે. આ ફિલ્મ આ સ્વતંત્રતા દિવસની આસપાસ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ વખતે ફિલ્મનું મુખ્ય પાત્ર તારા સિંહ તેના પુત્ર માટે પાકિસ્તાન જઈ રહ્યા છે. ફિલ્મમાં તેમના પુત્રની ભૂમિકા ઉત્કર્ષ શર્માએ ભજવી છે, જેણે 22 વર્ષ પહેલાની 'ગદર એક પ્રેમ કથા'માં તારા સિંહના પુત્રની ભૂમિકા પણ ભજવી હતી.

'ગદર એક પ્રેમકથા' એક એવી ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો. અને ફિલ્મના 20 વર્ષ પછી, અનિલ શર્મા હવે સની દેઓલ અને તેના પુત્ર ઉત્કર્ષ શર્મા સાથે ગદરની સિક્વલની યોજના બનાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તા તારા સિંહ દ્વારા તેમના પુત્ર ચરણજીત સિંહને પાકિસ્તાનથી પરત લાવવાની હશે. જો સૂત્રોનું માનીએ તો, આ માત્ર એક વિચાર છે, અને ટૂંક સમયમાં તે લેખકની સાથે મળીને પૂર્ણ થવા જઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.