અનુરાગ કશ્યપના મતે સરકાર બોયકોટ ટ્રેન્ડ માટે જવાબદાર, કારણ કે...

એક તરફ જ્યાં બોલિવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ રહી છે, તો બીજી તરફ સાઉથની ફિલ્મોનો રેકોર્ડ સારો દેખાઈ રહ્યો છે. જ્યારે હિન્દી ફિલ્મો પીટાઈ રહી છે અને સાઉથની ફિલ્મો હિટ થઈ રહી છે આ અંગે અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું ત્યારે તે આ સવાલ પર નારાજ થતો દેખાયો હતો. અનુરાગ કશ્યપે કહ્યું કે બોયકોટ ટ્રેન્ડ વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે સરકાર તરફથી ચલાવવામાં આવે છે. જો કે અનુરાગ કશ્યપ તેના આ નિવેદન પર ભારે ટ્રોલ થયા છે.

અનુરાગ કશ્યપે સવાલ કરનારને પૂછ્યું કે શું તમે મને કહી શકો કે ગયા શુક્રવારે સાઉથની કઈ ફિલ્મ રીલિઝ થઈ છે? તમને નથી ખબર. તમને કેમ નથી ખબર? કારણ કે એ ફિલ્મો પણ ચાલી રહી નથી. સરકારને ઘેરતા અનુરાગ કશ્યપે કહ્યું- મુખ્ય સમસ્યા એ છે કે લોકો પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. પનીર પર તો તમે GST ચૂકવો છો.

અનુરાગ કશ્યપે કહ્યું, 'તમે ખાદ્ય પદાર્થો પર GST ચૂકવો છો. આ બધો ટ્રેન્ડ એ બાબતો પરથી ધ્યાન હટાવવાનો કે બાયકોટ દિન અને બાયકોટ ધેટ અને બાયકોટ બોલિવુડ. અનુરાગ કશ્યપે કહ્યું કે લોકો પાસે પૈસા નથી અને હવે લોકો ફિલ્મ જોવા ત્યારે જવા માંગે છે જ્યારે તેમને ખાતરી હોય કે આ ફિલ્મ બધાને પસંદ આવી રહી છે, અથવા તો લોકો વર્ષોથી તે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

અનુરાગ કશ્યપે આ મામલે એક ઉદાહરણ આપતા કહ્યું- KGF2ની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. RRR રાજામૌલીની ફિલ્મ છે અને તેની બાહુબલી પછથી રાહ જોવાઈ રહી હતી. ભૂલ ભુલૈયા 2 ની રાહ જોવાઈ રહી હતી કારણ કે તે સિક્વલ છે. લોકો સંજય લીલા ભણસાલીની ફિલ્મ જોવા ગયા કારણ કે ત્યાં ઘણી માઉથ પબ્લિસિટી હતી. બોલિવુડ અને આ બધી બાબતોમાં લોકોને મુંજવણમાં મુકીને તેમને વાસ્તવિક બાબતોથી ભટકાવી દેવામાં આવે છે.

અનુરાગ કશ્યપના ઈન્ટરવ્યુની ક્લિપ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, 'નવી ગાડી લોન્ચ થતાં જ લાખ-લાખ બુક થઈ રહી છે અને લોકો પાસે ટિકિટ ખરીદવાના પૈસા નથી?' અન્ય એક યુઝરે લખ્યું, 'યે ઈડિયટ હૈ, કુછ ભી બકતા હૈ'. એક વ્યક્તિએ લખ્યું - મતલબ કંઈપણ... બિચારાને આઘાત લાગ્યો છે.

તેવી જ રીતે એક યુઝરે કોમેન્ટ કરી, 'આ એક નવું બહાનું છે. જો પુષ્પા 2 આવશે અને પહેલા દિવસે 200 કરોડનું કલેક્શન થશે, તો શું ત્યારે પણ ઈકોનોમિકનું રડશે?' એક વ્યક્તિએ લખ્યું, 'ખિસિયાની બિલાડી ખંબા નોચે.' એક વ્યક્તિએ લખ્યું, '150 રૂપિયા આપીને 10 રૂપિયાની ફિલ્મો કોણ જોશે. સત્ય એ છે કે બોલિવુડ પાસે નકલ, રોમાન્સ અને સ્ટારડમ બતાવવા સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. બાબા તમારા લોકોએ હવે નવીનતા કરવાની અને જોખમ લેવાની જરૂર છે.'

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.