સની દેઓલે જણાવ્યું તેઓ લોકસભા 2024ની ચૂંટણી લડશે કે નહીં, જુઓ વીડિયો

ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, તેઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે જણાવ્યું કે, એક્ટર બનીને રહેવું જ મારી ચૂંટણી છે. મને લાગે છે કે હું એક્ટર તરીકે દેશ સેવા કરું, જે હું કરતો આવી રહ્યો હતો. તમે કોઈ પણ એક જ કામ કરી શકો છો. એક સાથે ઘણા બધા કામ કરવું અસંભવ છે. હું જે વિચાર સાથે રાજનીતિમાં આવ્યો હતો, એ બધા કામ હું એક્ટર રહેતા પણ કરી શકું છું.

સની દેઓલે કહ્યું કે, એક્ટિંગની દુનિયામાં મારું જે દિલ કરે, તે હું કરી શકું છું, પરંતુ રાજનીતિમાં જો કંઈક કમિટ કરી દઉં અને તેને પૂરી ન કરી શકું, તો મને એ સહન થતું નથી. હું એવું નહીં કરી શકું. સની દેઓલની સાંસદ તરીકે લોકસભામાં માત્ર 19 ટકા જ ઉપસ્થિતિ છે જેને લઈને સાંસદે કહ્યું કે, જ્યારે આપણે બીજા લોકોને કહીએ છીએ કે એવો વ્યવહાર ન કરો. જ્યારે એ જોઉ છું તો લાગે છે કે હું એવો નથી. તેનાથી સારું તો એ છે કે હું ક્યાંક દૂર જતો રહું. સાથે જ કહ્યું કે, હું હવે કોઈ ચૂંટણી લડવા માગતો નથી.

ફિલ્મ એક્ટર સની દેઓલે વર્ષ 2019માં પોતાના રાજનૈતિક સફરની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબના ગુરુદાસપુર લોકસભા સીટ પરથી નસીબ અજમાવ્યું અને જનતાએ પણ તેમને નિરાશ ન કર્યા. ગુરુદાસપુરની જનતાએ 84 હજાર કરતા વધુ અંતરથી ભારે વિજયનો આશીર્વાદ આપીને સની દેઓલને લોકસભામાં મોકલ્યા હતા. સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા ક્ષેત્રની જનતાને મોટા મોટા વાયદા પણ કર્યા, પરંતુ વાયદા પૂરા કરવાના તો દૂર, તેઓ જીત બાદ ફરીને ગુરુદાસપુર પણ ન ગયા.

તેને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. સની દેઓલના ક્ષેત્રથી સતત ગાયબ રહેવા અને લોકસભામાંથી પણ ગેરહાજર રહેવાના કારણે હવે વિરોધી પણ મુદ્દો બનાવવા લાગ્યા છે. ગત દિવસોમાં લોકોએ તેમની વિરુદ્ધ ગુરુદાસપુરમાં પ્રદર્શન પણ કર્યું હતું. ગુરુદાસપુર મોહલ્લા સંત નગરના લોકોએ ફેબ્રુઆરીના મહિનામાં પણ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખીને સની દેઓલની સભ્યતા રદ્દ કરવાની માગ કરી હતી. અમરજોત સિંહે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સની દેઓલ લગભગ 4 વર્ષથી પોતાના લોકસભા ક્ષેત્રથી ગેરહાજર છે. ગુરદાસપુરની જનતાએ તેમને ખૂબ આશાઓ સાથે ચૂંટ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.