સની દેઓલે નેપોટિઝમ પર કહ્યું, જો પિતા પોતાના બાળક માટે નહીં કરે તો કોણ કરશે?

બોલિવૂડમાં દરરોજ નેપોટિઝમની ચર્ચા થાય છે. ઘણા અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓ પર ફિલ્મ ઉદ્યોગમાં ભાઈ ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ઘણા સ્ટાર્સ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. હાલમાં જ સની દેઓલે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સની દેઓલ ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેના પિતા ધર્મેન્દ્ર ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર્સમાંના એક છે. બીજી પેઢીમાં, સની દેઓલ પોતે અને તેના ભાઈ-બહેનો પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ પણ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો છે.

સની દેઓલના પુત્ર રાજવીરે ગયા અઠવાડિયે ફિલ્મ 'દોનો'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ખૂબ જ ધૂમધામથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોકે, ફિલ્મને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. હાલમાં જ પોતાના પુત્રની ફિલ્મના પ્રમોશન દરમિયાન સની દેઓલે ભાઈ ભત્રીજાવાદ એટલેકે વંશવાદને લઈને કેટલીક વાતો કહી હતી. આ વિશે વાત કરતાં 'ગદર 2'ના અભિનેતાએ કહ્યું કે, જો એક પિતા પોતાના પુત્ર વિશે નહીં વિચારે તો કોણ વિચારશે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા સની દેઓલે કહ્યું કે, ઘણા સમયથી તે આ શબ્દ નેપોટિઝમનો અર્થ જાણતો ન હતો. તેણે કહ્યું, 'પહેલા હું વિચારતો હતો કે આનો અર્થ શું છે? પછી જ્યારે મને ખબર પડી ત્યારે હું વિચારવા લાગ્યો કે, જો એક પિતા પોતાના બાળક માટે નહીં કરે તો કોણ કરશે? તેણે કહ્યું, એક્ટિંગ હોય કે અન્ય કોઈ ઈન્ડસ્ટ્રી, દરેક પિતા વિચારે છે કે, તેના બાળકનું જીવન કેવી રીતે આરામદાયક બનાવવું.'

આ અંગે સનીએ કેટલીક વધુ વાતો કહી. તેમણે કહ્યું, 'નેપોટિઝમ શબ્દનો ઉપયોગ મોટાભાગે એવા લોકો કરે છે, જેમને જીવનમાં કોઈ કારણસર સફળતા મળી નથી. તેઓ આ શબ્દનો ઉપયોગ તેમની નિરાશા વ્યક્ત કરવા માટે કરે છે, જ્યારે નેપોટિઝમ શબ્દનો કોઈ અર્થ જ નથી.'

 
 
 
View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

પોતાના પરિવાર વિશે વાત કરતાં તેણે કહ્યું, 'મારા પિતા (ધર્મેન્દ્ર)એ પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે હું, બોબી કે અભય જે કંઈ પણ છીએ તે અમારી પોતાની ઓળખ છે. જોકે હું જાણું છું કે પિતા હોવાનો અર્થ શું છે અને તેની પીડા પણ સમજું છું, પરંતુ રાજવીરની સફર તેની પોતાની સફર છે.'

અહીં તમને જણાવી દઈએ કે, સની દેઓલે તેના મોટા પુત્ર કરણ દેઓલને 'પલ પલ દિલ કે પાસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરાવી હતી અને હવે રાજવીરે ફિલ્મ 'દોનો'થી ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશ બડજાત્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જે તેની પ્રથમ ફિલ્મ છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.