ભારતમાં રહેવાને લઇને સ્વરાએ કહી એવી વાત, ભડક્યા યુઝર્સ, પાક. જવાની આપી સલાહ

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલમાં જ થયેલા સપા નેતા ફહદ અહમદ સાથેના તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તે પોતાની એક્ટિંગની સાથોસાથ જ અવાર નવાર પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમજ, હવે લગ્નના થોડાં દિવસ બાદ જ સ્વરાનું એક ટ્વીટ સામે આવ્યું છે. જેમા તેણે ફરી ભારત દેશને લઇને કંઇક એવુ લખી દીધુ છે, જેને વાંચીને લોકો ગુસ્સે થઈ રહ્યા છે. ટ્વીટને લઇને લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

થોડાં દિવસો પહેલા જ સ્વરા ભાસ્કરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલાક ફૂલોની તસવીરો શેર કરી હતી. આ તસવીરોની સાથે તેણે કેપ્શનમાં જે લખ્યું છે તે કોઇપણ ભારતીય માટે સહન કરી શકવુ અશક્ય છે. સ્વરાએ પોતાના કેપ્શનમાં કંઇક એવુ લખ્યું છે જેનો અર્થ એવો સમજાઇ રહ્યો છે કે, ભારતમાં રહેવુ નિરાશાભર્યું છે. આ પોસ્ટની સાથે જ સ્વરાએ તૂટેલા દિલનું ઇમોજી પણ લગાવ્યું છે.

હવે આ ટ્વીટના સામે આવ્યા બાદ ફરી એકવાર સ્વરા ભાસ્કર લોકોના નિશાના પર આવી ગઈ છે. યુઝર્સ આ પોસ્ટ પર કમેન્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, તમે સીરિયા, ઈરાન, ઇરાક, યમન અથવા પાકિસ્તાનની ટિકિટ બુક કરાવી શકો છો. એક અન્ય યુઝરે તો સ્વરા ભાસ્કરને ડાયરેક્ટ પાકિસ્તાનની નાગરિકતા લેવાની સલાહ આપી દીધી છે. તેમજ એક યુઝરે લખ્યું છે કે, હું ભારતમાં PM મોદીના નેતૃત્વમાં ખુશ અને સુરક્ષિત છું. મને લાગે છે કે, તમારી માનસિકતાને બદલવાની જરૂર છે.

જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે સ્વરા ભાસ્કર આ પ્રકારને ટ્રોલ થઈ રહી છે. તેણે પહેલા પણ દેશ વિશે એવા નિવેદનો આપ્યા છે જેના કારણે તે લોકોના નિશાના પર આવી ચુકી છે.

થોડાં દિવસ પહેલા NCERTની બુક્સમાંથી મુગલ શાસકોનો પાઠ હટાવી દેવામાં આવ્યો છે. 11માં તેમજ 12માં ધોરણના વિદ્યાર્થીઓ હવે મુગલો વિશે નહીં ભણશે. આ વાત પર સ્વરા ભાસ્કરે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્વિટર પર સ્વરા ભાસ્કરે સરકાર પર સવાલ ઊભા કરતા કહ્યું હતું કે, આ દેશમાં અંતહીન જહાલત છે. જાહિલોને વોટ આપો, દરેક સંસ્થાને જાહિલ બનાવો, જાહિલોને પેદા કરો... આ એક અંતહીન ચક્ર છે.

તેના પર નીરજ કુમાર દુબે નામના યુઝરે લખ્યું, મુગલોને આટલો સ્નેહ પહેલાથી હતો કે હમણા જ થયો છે તમને? આમ પણ તમારા લોકોનું ભયભીત અને ચિંતિત થવુ સ્વાભાવિક છે કારણ કે, જ્યારે અસલ રાષ્ટ્રનાયકો અને દેશના વાસ્તવિક તેમજ ગૌરવશાળી ઇતિહાસ વિશે નવી પેઢી જાણશે તો નિશ્ચિત જ તમારા લોકોની દુકાન બંધ થઈ જશે અને હાં જાહિલ નહીં જય હિંદ કહો.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.