શૈલેષ લોઢાને મળ્યો ન્યાય, શૉના મેકર્સ કરશે એક કરોડથી વધુની ચૂકવણી, જાણો કેમ

ટી.વી.ની પ્રસિદ્ધ સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ 14 વર્ષોથી દર્શકો પર રાજ કરી રહી છે. આ શૉમાં ઘણા બધા સ્ટાર જોડાયા અને વર્ષો સુધી દર્શકો પર રાજ કર્યું. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ શૉ પોતાના વિવાદોના કારણે છવાયો છે. શૉને ઘણા સ્ટાર્સે અચાનક છોડીને તેનાથી દૂરી બનાવી લીધી હતી. આ સ્ટાર્સમાં શૈલેષ લોઢાનું નામ પણ સામેલ છે. આ શૉમાં શૌલેષ લોઢાએ ‘તારક મેહતા’નો રોલ પ્લે કર્યો હતો.

લોકોને તેમની ભૂમિકા ખૂબ પસંદ હતી, પરંતુ પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સાથે એક વિવાદ હોવાના કારણે શૈલેષ લોઢાએ આ શૉને છોડી દીધો હતો. વર્ષ 2022માં શૈલેષ લોઢાએ શૉ છોડવાની જાહેરાત કરી હતી. તો વર્ષ 2023ની શરૂઆતમાં જ તેને શૉના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ પોતાની બાકી સેલેરી ન ચૂકવવા પર કેસ નોંધાવ્યો હતો. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આ કેસ શૈલેષ લોઢાની જીત થઈ છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, શૈલેષ લોઢાં અને મેકર્સ વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસનો નિર્ણય આવી ચૂક્યો છે. કોર્ટના નિર્ણય મુજબ, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદીએ શૈલેષ લોઢાને સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 1,05,84,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે એટલે કે હવે મેકર્સ શૈલેષ લોઢાને એક કરોડ કરતા વધુ બાકી પૈસા આપશે. રિપોર્ટ્સ મુજબ, કોર્ટ કેસનો નિર્ણય આવ્યા બાદ શૈલેષ લોઢાએ પોતાનું રીએક્શન આપ્યું છે. તેણે આ કેસના નિર્ણયને સત્યની જીત કહી છે. તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે, તેની આ લડાઈ ક્યારેય પૈસાની નહોતી. આ ન્યાય અને આત્મસન્માન સાથે જોડાયેલી વાત હતી.

તેમનું માનવું છે કે, આ નિર્ણય આવ્યા બાદ તેણે મોટી જંગ જીતી લીધી છે. તેણે કહ્યું કે, તેઓ ઇચ્છતા હતા કે હું પોતાની બાકી ચૂકવણી માટે કેટલાક કાગળો સાઇન કરું. તેમની કેટલીક શરતો હતી કે તમે મીડિયા સાથે વાત નહીં કરી શકો અને અન્ય વસ્તુ. હું હાથ ફેરવવા પર ન ઝૂક્યો. હું પોતાના પૈસા મેળવવા માટે કોઈ કાગળો પર સાઇન શા માટે કરું? શૈલેષ લોઢાએ એવો પણ ખુલાસો કર્યો કે, મેકર્સે વધુ એક એક્ટરની 3 વર્ષની પેમેન્ટ આપી નથી. જો કે, તેણે એક્ટરનું નામ બતાવવાની ના પાડી દીધી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.