
68મો ફિલ્મફેર એવોર્ડ 27 એપ્રિલની સાંજે યોજાયો હતો. જેમાં આલિયા ભટ્ટ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ' અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'બધાઈ દો'એ મોટી જીત મેળવી હતી. આ એવોર્ડ શોમાં અનુપમ ખેરની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 7 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. તેના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. પરંતુ આ ફિલ્મ કોઈ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી. હવે અભિનેતા અનુપમ ખેરે એક વિચિત્ર પોસ્ટ શેર કરી છે.
ફિલ્મફેર નોમિનેશનની યાદી બહાર આવ્યા પછી, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ એક પણ એવોર્ડ લેશે નહીં. તે આ અનૈતિક અને ભ્રષ્ટ પુરસ્કાર સાથે પોતાને જોડવા માંગતો નથી. હવે જ્યારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને એક પણ એવોર્ડ ન મળ્યો ત્યારે અનુપમ ખેરે એક મોટી વાત કહી છે. તેણે ટ્વિટર પર એક અજીબ પોસ્ટ શેર કરી છે. અનુપમે લખ્યું, 'સન્માન એક મોંઘી ભેટ છે. સસ્તા લોકો પાસેથી આની અપેક્ષા ન રાખો.'
એવું માનવામાં આવે છે કે, અનુપમ ખેરનો સંદર્ભ ફિલ્મફેર એવોર્ડ તરફ છે. તેના ટ્વીટ પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા કહે છે કે, તેમની વાત એકદમ સાચી છે. તો ઘણા એવા છે જેઓ તેની ફિલ્મને ખરાબ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમે એવોર્ડથી ઉપર છો. કાશ્મીર ફાઇલ્સમાં તમારી એક્ટિંગને ઓસ્કાર મળવો જોઈએ. ફિલ્મફેર 'ઝુબાન કેસરી' ધરાવતા લોકો માટે છે.' બીજાએ લખ્યું, 'ફિલ્મફેર એક મૂલ્યવાન પુરસ્કાર છે, કોઈ ખરાબ ફિલ્મથી તેને જીતવાની આશા ન રાખો.'
અનુપમ ખેર પહેલા વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મફેર વિશે વાત કરી હતી. તેની ફિલ્મને નોમિનેશન મળ્યા બાદ તેણે સીધો જ એવોર્ડ શો માટે ના કહી દીધી છે. તેણે પોતાના લાંબા નિવેદનમાં એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરવાનું કારણ પણ આપ્યું છે. વિવેકે લખ્યું, 'મને મીડિયાથી ખબર પડી છે કે કાશ્મીર ફાઇલને 7 કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. પરંતુ હું નમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા વિરોધી પુરસ્કારોનો અસ્વીકાર કરું છું. આનું કારણ પણ કહું છું.'
#TheKashmirFiles pic.twitter.com/npPHwLkLHG
— Anupam Kher (@AnupamPKher) April 28, 2023
તેણે આગળ લખ્યું, 'ફિલ્મફેર મુજબ, સ્ટાર્સ સિવાય, બીજા કોઈનો કોઈ ચહેરો નથી. ત્યાં કોઈ છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. સંજય લીલા ભણસાલી અને સૂરજ બડજાત્યા જેવા મુખ્ય દિગ્દર્શકોનો ફિલ્મફેરની અનૈતિક દુનિયામાં કોઈ ચહેરો નથી. ભણસાલીની ઓળખ આલિયા ભટ્ટ સાથે થાય છે, સૂરજની શ્રી અમિતાભ સાથે અને અનીસ બઝમીની કાર્તિક આર્યન સાથે છે. એવું નથી કે ફિલ્મફેર પુરસ્કારથી ફિલ્મમેકરનું સન્માન વધે છે, પરંતુ આ શરમજનક સિસ્ટમનો અંત આવવો જોઈએ.'
'એટલે જ હું બોલિવૂડના આ ભ્રષ્ટ, અનૈતિક અને ચાપલુસી ભરેલા એવોર્ડને નકારી કાઢું છું. હું આવો કોઈ એવોર્ડ નહીં લઉં. હું એવા ભ્રષ્ટ અને જબરજસ્તીથી દબાણ બનાવવાવાળી આ સિસ્ટમનો એક ભાગ બનવાનો ઇન્કાર કરું છું, જે લેખકો, દિગ્દર્શકો, બીજા HOD અને ક્રૂ સભ્યોને સીતારાઓથી નાના અને તેમના ગુલામો ગણતા હોય છે. જેઓ જીતશે તેમને મારા તરફથી અભિનંદન. સારી વાત એ છે કે હું એકલો નથી. ધીમે ધીમે એક સમાંતર હિન્દી ફિલ્મ ઉદ્યોગ ઉભરી રહ્યો છે. ત્યાં સુધી... 'સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી એ સૂરત બદલની ચાહીએ, મેરે સિને મેં નહીં તો તેરે સિને મેં સહી, હો કહી ભી આગ, લેકિન આગ જલની ચાહીએ- દુષ્યંત કુમાર.'
ANNOUNCEMENT:
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 27, 2023
FILMFARE AWARDS
I learnt from media that #TheKashmirFiles is nominated in 7 categories for the 68th Filmfare Awards. But I politely refuse to be part of these unethical and anti-cinema awards. Here is why:
According to Filmfare, other than the stars, nobody has… pic.twitter.com/2qKCiZ8Llh
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ માર્ચ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 250 કરોડનું બોક્સ ઓફિસ પર કલેક્શન કર્યું હતું. વિવેકે તેની ફિલ્મ ઓસ્કર 2023ની રેસમાં પણ મોકલી હતી. પરંતુ તે નોમિનેશન મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર સાથે મિથુન ચક્રવર્તી, મૃણાલ સેન, પલ્લવી જોશી અને દર્શન કુમારે કામ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp