‘ધ કેરળ સ્ટોરી’ની રીલિઝ પર રોક લગાવવાનો HCએ કર્યો ઇનકાર, ટીઝર હટાવવામાં આવશે

સુદીપ્તો સેનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર આવ્યા બાદ જ તેના પર વિવાદ શરૂ થઈ ગયો હતો. હવે ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહે કેરળ હાઇકોર્ટને કહ્યું છે કે, તેઓ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પરથી હટાવી દેશે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાઉથની 32 હજાર મહિલાઓનું ધર્માંતરણ કરીને તેમને ઈસ્લામિક સ્ટેટ (ISIS)માં ભરતી કરાવવામાં આવી હતી. વિવાદ બાદ ફિલ્મના ટ્રેલરથી મહિલાઓની સંખ્યા પહેલા જ હટાવવામાં આવી ચૂકી છે.

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ વિવાદોમાં છે. ફિલ્મની રીલિઝ પર રોકને લઈને ઘણી જગ્યા પર માગ ઉઠી રહી છે. કેરળના ઘણા જિલ્લામાં ફિલ્મની સ્ક્રિનિંગ પર પણ રોક લાગી છે. ફિલમની રીલિઝ પર રોક લગાવવા માટે કેરળ હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે અરજીમાં કરવામાં આવેલી માગ નકારી દીધી છે. હાઇ કોર્ટનું કહેવું છે કે, ફિલ્મ પર રોક નહીં લગાવી શકાય, કેમ કે તેની સાથે માત્ર એટલું લખ્યું છે કે આ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. જસ્ટિસ એન. નાગરેશ અને જસ્ટિસ સોફી થોમસની ડિવિઝન બેન્ચે કહ્યું કે, ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે.

બેન્ચે સુનાવણી અગાઉ ફિલ્મનું ટ્રેલર પણ જોયું અને કહ્યું કે, તેમ કોઈ ખાસ કમ્યુનિટી માટે કંઈ પણ ઓફેનસીવ નથી. બેન્ચે એ વાતને પણ હાઇલાઇટ કરી કે અરજી કરનારાઓમાંથી કોઈએ પણ ફિલ્મ જોઈ નહોતી. સાથે જ પ્રોડ્યુસરે એ પણ ડિક્લેમર આપ્યું કે આ ફિલ્મ કાલ્પનિક વર્ઝન છે. લાઈવ લૉના રિપોર્ટ મુજબ, જસ્ટિસ નાગરેશે કહ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચ નામની પણ કોઈ વસ્તુ હોય છે. તેમની કેટલીક આર્ટિસ્ટિક કેટલીક ફ્રીડમ હોય છે, આપણે તેને પણ બેલેન્સ કરવાની હોય છે.

ઉલ્લેખનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ આખા દેશમાં આજે રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મમાં એ છોકરીઓની કહાની છે જે નર્સ બનવા માગતી હતી, પરંતુ ISISની આતંકી બની ગઈ. આ ફિલ્મને લઈને વિવાદ પણ થઈ રહ્યો છે. કેટલાક લોકો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની પણ માગ કરી રહ્યા છે. તેના માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે અરજીકર્તાઓને હાઇકોર્ટ જવા કહ્યું હતું. ત્યારબાદ હાઇકોર્ટમાં 5 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એક અરજી ઇન્ડિયન મુસ્લિમ યુનિયન મુસ્લિમ લીગ દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.