આ દેશમાં ધ કેરળ સ્ટોરીની સ્ક્રીનિંગ પર સંકટ,ISISની થિયેટરને ઉડાવવાની ધમકી

‘ધ કેરળ સ્ટોરી’ હાલના દિવસોમાં એક એવી ફિલ્મ બની ચૂકી છે જે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જેમ યાદ રાખવામાં આવશે. અદા શર્મા અભિનીત અને સુદીપ્તો ગુપ્તા દ્વારા ડિરેક્ટ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને દરેકના પોતાના વિચાર છે. કોઈ તેને પ્રોપગેન્ડા કહી રહ્યું છે કે જે ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે, તો કોઇ હકીકત કહે છે. લોકોને આ ફિલ્મ ખૂબબ પસંદ આવી છે અને તેના માટે મેકર્સની ખૂબ વાહવાહી પણ થઈ છે, પરંતુ હવે મોરીશસથી ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને એક એવા સમાચાર સામે આવ્યા છે જે ચિંતાનો વિષય છે.

વિપુલ અમૃતલાલ શાહની હાલમાં જ રીલિઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને દુનિયામાં ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે અને દર્શકોના દિલ પણ જીત્યા છે. હાલમાં જ મોરીશસમાં ફિલ્મની સ્ક્રિનિંગને લઈને એક એવી ઘટના થઈ જેણે બધાને હચમચાવી દીધા છે. મોરીશસના એક થિયેટર ફ્રેન્ચાઇઝીએ વિપુલ અમૃતલાલ શાહને એક ચિઠ્ઠી મોકલી છે જેમાં કંઈક એવું લખ્યું છે જે લોકોને ડરાવી શકે છે. આ ચિઠ્ઠી થિયેટર ફ્રેન્ચાઇઝીને આતંકવાદી સંગઠન ISIS સમર્થકોએ મોકલી છે.

આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ‘સર/મેડમ, ધ મેકિંગ (થિયેટરનું નામ) કાલે ખતમ થઈ જશે કેમ કે અમે તમારા આ થિયેટરમાં બોમ્બ લગાવવા જઈ રહ્યા છીએ. તમે સિનેમા જોવા માગો છો, કાલે તમને ખૂબ શાનદાર સિનેમા જોવા મળશે. મારા શબ્દો પર ધ્યાન આપો. શુક્રવારના દિવસે ‘ધ કેરળ સ્ટોરી’ માટે અમે મેકિંમ બોમ્બ લગાવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’એ પહેલા દિવસથી દર્શકોને ખુરશીની પેટી સાથે બાંધી રાખ્યા છે. આ ફિલ્મ દર્શકોના દિલો પર છાપ છોડી ચૂકી છે.

‘ધ કેરળ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. અદા શર્મા અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ કરતા વધુનું કલેક્શન કરી લીધું છે. દેશ સિવાય ફિલ્મ વિદેશોમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મની કહાની કેરળની 4 છોકરીઓના ધર્માંતરણ પર આધારિત છે, જેના કારણે ઘણા લોકો તેને રીલિઝ કરવાના વિરોધમાં હતા, પરંતુ અંતે ફિલ્મ સિનેમાઘરો સુધી પહોંચી ગઈ છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઇડનાની અને સોનિયા બલાની તેમજ અન્ય લોકો સામેલ છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.