વિકી કૌશલે કહી કેટરીના કૈફ સાથેની પહેલી મુલાકાતની વાત

બોલિવુડના ફેવરિટ કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલની લવસ્ટોરીની ચર્ચાઓ દરરોજ થતી રહેતી હોય છે. આ જોડીને ચાહકો તરફથી પણ અપાર પ્રેમ મળે છે. બંને લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા છે. આ દિવસોમાં કેટરીના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર દરેક જગ્યાએ ચર્ચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને સ્ટાર્સ આખરે કેવી રીતે અને ક્યારે મળ્યા. આ સવાલ પરથી પડદો ઉઠાવતા વિકી કૌશલે ખુલ્લેઆમ પોતાની અને કેટરીનાની પહેલી મુલાકાતનું રહસ્ય બધાની સામે જાહેર કર્યું છે.

આ અઠવાડિયે ડિઝની પ્લસ હોટ સ્ટાર શો કોફી વિથ કરણ સીઝન 7 માં વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. જ્યાં કરણ જોહર ખુલ્લેઆમ વિકીને તેના લગ્ન અને લવ લાઈફ વિશે સવાલ કરતા જોવા મળશે. શો દરમિયાન વિકી કૌશલે કહ્યું, 'છેલ્લી સિઝનમાં કાઉચ પર મારી ક્ષણને જાણવાની આ મારી રીત હતી કે કેટરીના કૈફ મારા વિશે જાણે છે કે નહીં.'

સવાલોના જવાબમાં વિક્કી કૌશલે ખુલાસો કર્યો કે કાઉચ પર બધુ સાફ થયા બાદ અમે બંને અમારા જીવનમાં પહેલીવાર ઝોયા અખ્તરના ઘરે મળ્યા હતા. આ સિવાય વિકી કૌશલે પોતાના લગ્ન દરમિયાનની વાતો શેર કરતા કહ્યું કે લગ્ન દરમિયાન મીમ્સ અને ફની ટ્વિટ્સ પર પણ તેનું પૂરુ ધ્યાન હતું. લગ્નથી જોડાયેલી વાતો પર પણ તેમની નજર હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

અભિનેતાએ કહ્યું કે - 'જ્યારે આ બધા રેંડમ સમાચારો હેડલાઇન્સમાં હતા, ત્યારે હું પંડિતજીને કહેતો હતો, મહેરવાની કરીને આ બધું જલ્દી પૂરું કરો. એક કલાકથી વધુ નહીં. એ તો બધા જાણે જ છે કે બંને સ્ટાર્સે તેમના લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ થઈ શક્યું નહીં. પછી લગ્નના ફોટો શેર કરતા વિક્કીએ પોતાના અને કેટરીનાના લગ્નની જાહેરાત કરી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.