રામાયણના સેટ પર અરુણ ગોવિલની ગેરહાજરીમાં આ મુસ્લિમ એક્ટર બનતા હતા ભગવાન શ્રીરામ

રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર એક્ટર અરુણ ગોવિલની કોઈને ઓળખાણ આપવાની જરૂરિયાત નથી. 80ના દશકમાં પ્રસારિત ‘રામાયણ’માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવીને તેઓ દેશ જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધ થઈ ગયા હતા, પરંતુ શું તમને ખબર છે કે જ્યારે જ્યારે રામાયણના સેટ પર અરુણ ગોવિલ હાજર રહેતા નહોતા, ત્યારે એક મુસ્લિમ એક્ટર ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવતા હતા? જવાબ ના છે તો આવો આપણે આ આર્ટિકલમાં એ એક્ટર બાબતે જાણીએ.

અરુણ ગોવિલની ગેરહાજરીમાં ભગવાન શ્રીરામ બનનારા આ એક્ટરનું નામ અસલમ ખાન છે. અસલમ ખાને રામાનંદ સાગરના રામાયણમાં ઋષિથી લઈને રાક્ષસ સુધી 11 ભૂમિકા ભજવી હતી, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમણે રામાયણમાં ડુપ્લિકેટ રામની પણ ભૂમિકા ભજવી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે અસલમ ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રામયણની શૂટિંગના સમયે જ્યારે અરુણ ગોવિલ કોઈ કારણસર આવી શકતા નહોતા, તો તેમને ભગવાન રામના ગેટઅપમાં તૈયાર કરવામાં આવતા હતા.

એક્ટરે આગળ જણાવ્યું હતું કે, જ્યારે હું ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો, ત્યારે મોટા ભાગના લોંગ શૉટ ફિલ્માવવામાં આવતા હતા, જેથી મારો ચહેરો નજરે ન પડે. નોંધનીય છે કે જ્યારે અમે બધા સેટ પર પરિવારની જેમ કામ કરતા હતા એટલે એક-બીજાની મદદ કરવા અને સીરિયલનું શૂટિંગ ટાઇમ પર કરવાના ઉદ્દેશ્યથી એમ કર્યા કરતા હતા. અસલમ ખાનના પુત્રએ સોશિયા મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેના પિતાએ ઘણા મોટા સપોર્ટિંગ રોલ્સ નિભાવ્યા. ત્યારબાદ અસલમ ચર્ચામાં આવ્યા હતા.

રામાયણમાં 11 ભૂમિકા ભજવવા છતા અસલમ ખાનને નાના પરદાથી કામ મળવાના બંધ થઈ ગયા હતા. ઘણા સમય સુધી સ્ટ્રગલ કર્યા બાદ તેમણે વર્ષ 2002 બાદ એક્ટિંગ છોડી દીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક્ટિંગ છોડ્યા બાદ અસલમ ખાન ઝાંસીની એક માર્કેટિંગ કંપનીમાં કામ કરવા લાગ્યા હતા.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.