ફેઝાને કહ્યું- 'ઉર્ફી છોકરી નથી, કિન્નર છે, મારી પાસે પુરાવા, મુસ્લિમ છે એટલે...

ઉર્ફી જાવેદ એક સોશિયલ મીડિયા સેન્સેશન છે, જે હંમેશા તેના આઉટફિટ્સ માટે હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી જાવેદ પોતાની અનોખી ફેશન સેન્સથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. ખબર નથી કે ઉર્ફી જાવેદે અત્યાર સુધીમાં કેટલી વસ્તુઓથી પોતાની ડ્રેસ બનાવી છે.

એક તરફ જ્યાં ઉર્ફીના ચાહકો તેના આત્મવિશ્વાસના વખાણ કરે છે, તો બીજી તરફ ઘણા લોકો તેને ન કહેવાનું પણ કહેતા હોય છે. પોતાના કપડાના કારણે અભિનેત્રી સામાન્ય જનતાથી લઈને ઘણા પ્રખ્યાત સ્ટાર્સના નિશાના પર આવી છે. ઉર્ફીના ડ્રેસની સાથે તેના નિવેદનોની પણ ખૂબ ચર્ચા થાય છે.

ઘણી વખત ઉર્ફી જાવેદ પોતાના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર વિવાદોમાં ફસાઈ જાય છે. હાલમાં જ એક અભિનેતાએ દાવો કર્યો છે કે, ઉર્ફી જાવેદ છોકરી નથી પરંતુ ટ્રાન્સજેન્ડર છે. એટલું જ નહીં, અભિનેતાએ એમ પણ કહ્યું છે કે, તેની પાસે પુરાવા છે જેને તે કોર્ટમાં રજૂ કરશે.

હકીકતમાં હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં ફૈઝાન અંસારીએ કહ્યું હતું કે, મારી પાસે પુરાવા છે જેના આધારે હું દેશની સામે મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું. ઉર્ફી જાવેદ એ છોકરી નથી પણ વ્યંઢળ છે. મારો તેની સાથે પહેલેથી જ ઘણો વિવાદ છે. આ બધું લઈને હું હાઈકોર્ટમાં પહોંચ્યો છું. હવે તેઓ હાઈકોર્ટમાં જ પુરાવા, સાક્ષીઓ અને કિન્નર સમાજના વડા સાથે સાબિત કરીશ કે તે કોણ છે.

ફૈઝાને વધુમાં કહ્યું કે, 'મારી ટીમે ઘણી વખત ઉર્ફી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે દરેક સાથે ખૂબ જ ઉદ્ધત વર્તન કરે છે. તે કહે છે કે તેને મુસ્લિમ સમાજ સાથે કોઈ લેવાદેવા નથી. આવી સ્થિતિમાં મને લાગે છે કે, હવે તેની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. તેને સીધો પાઠ ભણાવવો વધુ સારું રહેશે. મુસ્લિમ હોવાને કારણે તે આ રીતે અમારું નામ બદનામ કરી રહી છે. મેં તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઈ ફાયદો થયો નથી. એટલા માટે હું ઈચ્છું છું કે, તેનું સત્ય જલદી લોકો સામે આવે અને તે વ્યંઢળ સમાજમાં જોડાય જાય.

ફૈઝાન અંસારીએ વધુમાં કહ્યું, ઉર્ફી જાવેદ જે રીતે પર્યાવરણને પ્રદૂષિત કરી રહી છે, તે માત્ર એક વ્યંઢળ જ કરી શકે છે. હું આ સમગ્ર મામલે કિન્નર સમાજના વડા સાથે ચર્ચા કરવાનો છું. મારી ટીમે તેમનો સંપર્ક કર્યો છે અને અમે ઉર્ફીને લગતી બેઠક યોજવા જઈ રહ્યા છીએ, જેથી ઉર્ફી શક્ય તેટલી વહેલી તકે પોતાને સમર્પણ કરી દે તો સારું રહેશે.

જ્યારે ફૈઝાન અંસારીને માત્ર ઉર્ફી જાવેદને નિશાન બનાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મુસ્લિમ હોવાના કારણે બહુ ઓછા લોકો છે જેઓ તેનું નામ બગાડે છે. મેં ઉર્ફી જાવેદને પણ સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે હું તારી વાત નહીં સાંભળું. મારે જે કરવું હોય તે કરીશ. આથી મારે હાઈકોર્ટમાં જવું પડ્યું. હાલમાં ઉર્ફી જાવેદે ફૈઝાન અંસારીના દાવા પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.