પરેશાનીનું કારણ બન્યા ઉર્ફીના વિચિત્ર કપડા, કબ્રસ્તાનમાં દફનાવા નહીં દઈએ: ફતવો

ઉર્ફી જાવેદના કપડાં એવા હોય છે કે, ચાહકોને તેને જોઈને ચક્કર આવી જાય છે. જ્યારે, કેટલીકવાર તો તે એવા કપડાં પહેરે છે કે જોનારાઓ તેમની આંખો પણ બંધ કરી દે છે. પરંતુ હવે ઉર્ફીના કપડાં તેના માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે. હાલમાં જ ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ ફતવો સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝાન અંસારીએ બહાર પાડ્યો છે. આ ફતવામાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ઉર્ફી જાવેદનું અવસાન થશે ત્યારે તેને કબ્રસ્તાનમાં જગ્યા આપવામાં આવશે નહીં.

ફૈઝાન અન્સારીએ ઉર્ફી જાવેદને લઈને જુહુના કબ્રસ્તાનમાં અરજી દાખલ કરી છે. આ સાથે મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે 'ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે'. તેણે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ કહે છે કે, મુસ્લિમ યુવતી નગ્ન થઈને ફરે છે ત્યારે તેને શરમ આવે છે. ઉર્ફીએ ઈસ્લામનું અપમાન કર્યું છે. જ્યારે ઉર્ફી મૃત્યુ પામશે, ત્યારે તેને કબ્રસ્તાનમાં સ્થાન આપવામાં આવશે નહીં.'

આ સાથે ફૈઝાન અંસારીએ કહ્યું, 'ઉર્ફી જાવેદ જે પ્રકારનાં કપડાં પહેરે છે તેનાથી આખી દુનિયામાં મુસ્લિમોની બદનામી થઇ રહી છે. જો તે કહે છે કે, તે ઇસ્લામમાં માનતી નથી, તો તેનું નામ બદલી લે, પરંતુ ધર્મની બાબતમાં પણ ઉર્ફીએ તમામ હદો વટાવી દીધી છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

ફૈઝાન અંસારીએ વધુમાં કહ્યું કે, 'ઉર્ફીએ ઈન્ટરવ્યુમાં ઘણી વખત કહ્યું છે કે તે ઈસ્લામ ધર્મમાં માનતી નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્ફી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હોય. આ પહેલા એક નેતાએ ઉર્ફીના કપડા અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાં સુધી કે,  વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. આ પછી ઉર્ફીએ પોતાની સુરક્ષા માટે અપીલ પણ કરી હતી.

ફૈઝાન અંસારીએ વધુમાં જણાવ્યું કે, તેણે દિલ્હીના મૌલાના અને મુંબઈના સિટી કાઝીને ફતવો બહાર પાડવાની ફરિયાદ પણ કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

અહીં તમને જણાવી દઈએ કે, આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ ઉર્ફી જાવેદ વિરુદ્ધ તેના બોલ્ડ અને રિવિલિંગ કપડાના કારણે તમામ પ્રકારની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જો કે, દરેક વખતે અભિનેત્રી તેમના વિશે મુક્ત મને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળી છે. આવી સ્થિતિમાં, ફૈઝાન અન્સારીના આ નિવેદન પર ઉર્ફી જાવેદની પ્રતિક્રિયા શું છે તે જોવાનું રહેશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.