બેભાન થવા સુધી મારતા હતા પપ્પા, દર્દનાક રહ્યું છે ઉર્ફીનું બાળપણ

પોતાની અતરંગી ફેશનના કારણે હંમેશાં ચર્ચામાં રહેનારી ઉર્ફી જાવેદ પોતાના નિવેદનોને કારણે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અને અવારનવાર ટ્રોલ્સના નિશાના પર આવી જાય છે. સોશિયલ મીડિયા પર ખરાબરીતે ટ્રોલ થવા છતા ઉર્ફી પોતાની સ્ટાઇલ નથી છોડતી અને કહે છે કે તેને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો. પરંતુ, હાલમાં જ ઉર્ફીએ ખુલાસો કર્યો છે કે, કઈ રીતે તેના પિતા તેને મારતા હતા અને કઈ રીતે ટ્રોલિંગ તેને હર્ટ કરે છે.

ઇન્ટરનેટ સેન્સેશન અને એક્સ બિગ બોસ ઓટીટી કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ પોતાની આકર્ષક ફેશન ચોઈસ અને બોલ્ડ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક પોડકાસ્ટમાં ઉર્ફીએ ખુલીને વાત કરી અને જણાવ્યું કે, કઈ રીતે તેના પિતા ખૂબ જ રૂઢિવાદી હતા અને તેને મારતા હતા. કઈ રીતે તેની મમ્મીએ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને અહીં સુધી પહોંચવુ તેના માટે સરળ નહોતું.

પોડકાસ્ટમાં ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો કે, તે નાનપણમાં કેવી હતી. તેની સાથે ઘરમાં કેવુ વર્તન થતુ હતું. ઉર્ફીના પિતા તેને કઈ હદ સુધી ફિઝિકલી ટોર્ચર કરતા હતા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાના પિતા અને નાનપણ વિશે વાત કરી હોય. ઉર્ફી જાવેદે કહ્યું, હું આત્મવિશ્વાસથી ભરપૂર બાળકી હતી અને મારી કોઈ ફ્રેન્ડ નહોતી. હું નાનપણમાં ખૂબ જ કન્ફ્યુઝ્ડ રહેતી હતી.

ઉર્ફીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે દર ત્રણ મહિનામાં એકવાર ઇફેક્ટ થઈ જાય છે, તો તેણે કહ્યું ટ્રોલિંગના કારણે છે. તે બોલી, કદાચ ટ્રોલ્સ જે કહે છે તે યોગ્ય છે- કદાચ હું એક મહિલા બનવા માટે યોગ્ય નથી, કદાચ હું સમાજ પર એક ધબ્બો છું, કદાચ હું યુવા પેઢી માટે ખરાબ એક્ઝામ્પલ છું. હું આ બધુ નથી છોડી શકતી અને જો હું છોડી પણ દઉં તો જે થયુ તે હંમેશાં ઇન્ટરનેટ પર રહેશે. ઉર્ફીએ આગળ કહ્યું- શું હું એટલી ખરાબ છું? કદાચ કોઈ મારો સ્વીકાર નહીં કરશે, કોઈ પરિવાર મારો સ્વીકાર નહીં કરશે. મને લાગે છે કે, કોઈપણ મારું ફ્રેન્ડ બનવા નહીં ઇચ્છશે.

ઉર્ફીએ ખુલાસો કર્યો કે, તેના પિતા ખૂબ જ રૂઢિવાદી હતા અને કઈ રીતે તેની મમ્મીએ ખૂબ જ નાની ઉંમરમાં પાંચ બાળકોનો ઉછેર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડી. પોતાના દર્દનાક બાળપણ વિશે જણાવતા તેણે કહ્યું કે, તેના પિતા તેને એટલી હદ સુધી માર મારતા હતા કે તે બેભાન થઈ જતી હતી. હું મારા પિતાની જરા પણ નજીક નહોતી.

જો માતા-પિતામાંથી કોઈ એકને ગુસ્સો આવે અને તે ગુસ્સો મારા પર ઉતારવામાં આવી રહ્યો હોય તો તે અલગ વાત છે. તમે મારીને સમજાવશો કોઈ બાળકને અને તે બેભાન થઈ જાય, તો તે બાળક શું સમજવાનું હતું. તમે સામો જવાબ તો આપી નથી શકવાના, તો એ ગુસ્સો વધે છે અને પછી એક પોઇન્ટ પર તમે કહો છો- બો થઈ ગયુ આ બધુ. જ્યારે કોઈ બાળક મોટું થઈ જાય છે અને તમે તેને મારો છો, તો તે તેના પર ઊંડી અસર છોડી જાય છે અને નકારાત્મક પ્રભાવ છોડી જાય છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.