ફિલ્મ જોઈ સેહવાગે કહ્યુ- આદિપુરુષ જોઈને ખબર પડી કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. વિરેન્દર સેહવાગ મોટા ભાગે પોતાના ટ્વીટ માટે ચર્ચામાં બન્યા રહે છે. જમણા હાથના પૂર્વ બેટ્સમેન વિરેન્દર સેહવાગ હવે આદિપુરુષ ફિલ્મ પર કરેલી પોતાની એક ટ્વીટને લઈને ચર્ચામાં છે. આદિપુરુષ રીલિઝ થયાનું એક અઠવાડિયુ થઈ ગયું છે. રામાયણ ઉપર બનેલી આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનને મુખ્ય ભૂમિકા ભજવી છે. રીલિઝ થયા બાદ જ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર પોતાન ડાયલોગ અને પાત્રોને લઈને ખૂબ ટ્રોલ થઈ રહી છે અને ઘણી જગ્યાએ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

ફેન્સ રામાયણની ખોટી વ્યાખ્યા, હોલિવુડ ફિલ્મોના સીન કોપી કરવા અને રામાયણના ઐતિહાસિક ભૂમિકાની વેશભૂષાને લઈને ફિલ્મની મજાક બનાવી રહ્યા છે. હવે વિરેન્દર સેહવાગે પણ ફિલ્મ જોયા બાદ તેના પર કટાક્ષ કરતા ટ્વીટ કરી છે. તેણે પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીના ડાયલોગ સાથે આદિપુરુષ બાબતે પોતાના વિચાર શેર કર્યા છે. વિરેન્દર સેહવાગે મજાકમાં પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘આદિપુરુષ જોઈને ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો.’

વિરેન્દર સેહવાગ વાત કરીએ તો તે છેલ્લી વખત માર્ચમાં લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમતો નજરે પડ્યો હતો. ટૂર્નામેન્ટમાં રમેલી 2 મેચમાં તેના બેટથી 42 રન નીકળ્યા હતા. ગત દિવસોમાં સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થઈ રહી હતી કે વિરેન્દર સેહવાગ ભારતીય ટીમના આગામી ચીફ સિલેક્ટર બની શકે છે. જો કે વિરેન્દર સેહવાગે આ વાતને પૂરી રીતે ખોટી બતાવી હતી અને કહ્યું હતું કે બોર્ડ તરફથી તેની સાથે આ મુદ્દાને લઈને કોઈ પ્રકારની કોઈ ચર્ચા થઈ નથી.

રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. જો કે, કમાણીની બાબતે આ ફિલ્મ અત્યાર સુધી આશા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ફિલ્મનું કલેક્શન રોજ ઘટી રહ્યું છે. પહેલા વિકેન્ડમાં સોલિડ કમાણી કરનારી આદિપુરુષ બીજા વિકેન્ડમાં ફૂસ્સ સાબિત થઈ. ફિલ્મે 10 દિવસમાં 274.55 કરોડનો બિઝનેસ કર્યો છે. આદિપુરુષે બીજા શનિવારે 5.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, તો રવિવારે 6 કરોડ રૂપિયાનું. શનિવારની તુલનામાં સામાન્ય ગ્રોથ કલેક્શનમાં નજરે પડ્યું, પરંતુ તેનાથી ખુશ નહીં થઈ શકાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.