3 ઈડિયટ્સની સિક્વલ પર ‘વાયરસ’ અને ‘ચતુર’એ ગુસ્સો જાહેર કર્યો, શર્મન જોશીએ કહ્યું

રાજકુમાર હિરાનીની 3 ઈડિયટ્સની સિક્વલ પર ચાલી રહેલી અફવા પર વીર સહસ્ત્રબુદ્ધિ ‘વાયરસ’  એટલે કે અભિનેતા બોમન ઇરાની અને ‘ચતુર’ અભિનેતા ઓમી વૈદ્યએ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યકત કર્યો છે. ચાહકો પણ તેમના અભિપ્રાય શેર કરી રહ્યા છે.

લદાખના જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચુકની લાઇફ સ્ટોરી પર બનેલી આમિર ખાન અભિનીત 3 ઇડિયટ્સ ફીલ્મની સિક્વલ શરૂ થવાની ચર્ચા પર કરીના કપુર, જાવેદ જાફરી અને મોના સિંહ તેમનો અભિપ્રાય આપી ચૂક્યા છે. હવે બોમન ઇરાની અને ઓમી વૈદ્યએ પણ તેમની પ્રતિક્રિયા જાહેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ રિએક્શન પછી ફિલ્મના ચાહકો એવું માની રહ્યા છે કે આ 3 ઇડિયટસની સિક્વલને લઇને પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર  અભિનેતાઓ દ્રારા શેર કરવામાં આવેલા વીડિયો પર ચાહકો તેમના અભિપ્રાય આપી રહ્યા છે.

કરીના કપૂર ખાન, જાવેદ જાફરી અને મોના સિંહ પછી બોમન ઈરાની અને ઓમી વૈદ્યએ પણ 3 ઈડિયટ્સની સિક્વલની વાયરલ તસવીરને લઈને તેમની પ્રતિક્રિયા શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. વીરુ સહસ્રબુદ્ધિ 'વાયરસ' ઉર્ફે બોમન ઈરાની, એક રમુજી વીડિયોમાં, રાજકુમાર હિરાનીની સિક્વલની અફવાઓ વિશે વાત કરે છે, તમે શું કરી રહ્યા છો? શું તે પહેલેથી જ બહાર  આવી ગઇ અને ક્લિપ વાયરલ થઈ ગઈ છે? તમે લોકો વાયરસ વિના 3 ઇડિયટ્સ વિશે કેવી રીતે વિચારી શકો?

ભગવાનનો આભાર કે કરીનાએ મને આ વિશે જાણ કરી. નહિંતર મને તો ખબર જ ન પડતે. આ યોગ્ય નથી. મિત્રો. આટલું મોટું કંઈક રાંધ્યું અને અમને કહ્યું પણ નહીં? શું આ તમારી શાલીનતા છે? તમારી મિત્રતા ક્યાં છે મને લાગ્યું કે આપણે મિત્રો છીએ. મને ખાતરી છે કે જાવેદ જાફરીને આ વિશે કોઈ જાણ નથી. મહેરબાની કરીને કોલ કર, જાવેદ. વિડીયોની સાથે કેપ્શન હતું "તેઓ વાયરસ વિના 3 ઇડિયટ્સની સિક્વલ કેવી રીતે બનાવી શકે? વાયરસ વિલન ન હોય તો કોણ હશે?  બોમન ઇરાનીની પોસ્ટ પર શરમન જોશીએ જવાબ આપતા લખ્યું કે, સોરી વાયરસ, મારો મતલબ છે બોમન ઇરાની, તમે ગુસ્સો ન કરો, હું તમને ટુંક સમયમાં જ પુરી વાત સમજાવીશ, પ્લીઝ, ફોન ઉઠાવી લેજો.

ઉપરાંત ‘ચતુર’ એટલે કે અભિનેતા ઓમી વૈદ્યએ પણ વીડિયો શેર કર્યો છે. તેણે પણ સિક્વલને લઇને વાત કરી છે. ફરી એકવાર તેના ચમત્કાર વાળા અંદાજ જોઇને ફેન્સ હસવું નહીં રોકી શકશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.