વિવેક અગ્નિહોત્રીએ કોર્ટ પાસે કેમ માગી માફી? જાણો શું છે મામલો

એક જજ વિરુદ્ધ ટિપ્પણી કેસમાં ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોમવારે દિલ્હી હાઇ કોર્ટમાં કોઈ પણ શરત વિના માફી માગી લીધી છે. ત્યારબાદ હાઇ કોર્ટે આરોપોમાંથી મુક્ત કરી દીધા. આ કેસ વર્ષ 2018માં જસ્ટિસ એસ. મુરલીધર વિરુદ્ધ ટ્વીટ સાથે જોડેલો છે. હાઇ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સોમવારે વિવેક અગ્નિહોત્રી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા આ કોઈ પણ શરત વિના માફી માગી લીધી હતી.

કોર્ટે શું કહ્યું?

હાઇ કોર્ટે કહ્યું કે, વિવેક અગ્નિહોત્રી વ્યક્તિગત રૂપે સોમવારે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આપત્તિજનક ટ્વીટને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને કોઈ પણ શરત વિના માફી માગી લીધી છે. કોર્ટનું કહેવું છે કે તેમનો ઇરાદો કોર્ટના સન્માનને ઠેસ પહોંચાડવાનો નહોતો એટલે તેમને આ કેસમાં મુક્ત કરી દેવામાં આવે છે. વિવેક અગ્નિહોત્રીએ જે એફિડેવિટ રજૂ કરી છે તેનાથી ખબર પડે છે કે તે પોતાના વ્યવહારને લઈને દુઃખી છે. તેઓ કોર્ટનું સન્માન કરે છે અને તેમનો જાણીજોઇને કોર્ટની અવમાનના કરવાનો ઇરાદો નહોતો.

કોર્ટે વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ જાહેર કરેલા કારણ બતાવો નોટિસ પણ પરત લઈ લીધી છે અને આપત્તિજનક કેસમાંથી મુક્ત કરી દીધા છે. વિવેક અગ્નિહોત્રીનું માફીનામું સ્વીકારતા જસ્ટિસ સિદ્ધાર્થ મુદુલ અને જસ્ટિસ વિકાસ મહાજને તેમને કેસમાંથી મુક્ત કરતા ભવિષ્યમાં એવા કોઈ પણ વ્યવહારથી મુક્ત કરવાની સલાહ આપી છે.

શું છે કેસ?

વિવેક અગ્નિહોત્રીએ એલ્ગાર પરિષદના કેસમાં આરોપી સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખાના હાઉસ અરેસ્ટના આદેશને પણ ફગાવવાના જસ્ટિસ એમ. મુરલીધરન નિર્ણયની નિંદા કરી હતી. તેને લઈને તેમણે વર્ષ 2018મા ટ્વીટ કરી હતી, જેના પર કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એ સિવાય એક વૈજ્ઞાનિક આનંદ રંગનાથન વિરુદ્ધ પણ અવમાનનાનો કેસ શરૂ કર્યો હતો. ફિલ્મના ડિરેક્ટરે આ કેસમાં જજ એસ. મુરલીધરનના આદેશ બાદ તેમના પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 24 મેના રોજ થશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.