હિંમત છે તો ‘મણિપુર ફાઈલ્સ’ બનાવો, વિવેક અગ્નિહોત્રીએ આવો જવાબ આપી હાથ ખંખેર્યા

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને નવુ રૂપ આપી OTT પર રીલિઝ કરવાની તૈયારીમાં છે. પણ આ ફિલ્મ વેબ સીરિઝના રૂપમાં રીલિઝ કરશે. જેનું નામ ધ કશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ છે. શુક્રવારે તેનું ટ્રેલર પણ રીલિઝ કરવામાં આવ્યું છે. તેની વચ્ચે લોકો ફિલ્મ નિર્માતાને મણિપુર પર પણ ફિલ્મ બનાવવા કહી રહ્યા છે.

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટર પર એક યૂઝરને જવાબ આપ્યો. જેમાં તેણે ડિરેક્ટરને ધ કશ્મીર ફાઈલ્સ અને ધ તાશકંદ ફાઇલ્સની સફળતા પછી ધ મણિપુર ફાઇલ્સ બનાવવા કહી રહ્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરમાં થયેલી હિંસાને લઇ પોસ્ટ કર્યું હતું. ત્યારે એક યૂઝરે મણિપુર ફાઈલ્સ બનાવવાની વાત કહી દીધી.

ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડની વાત કરતા નિર્માતાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો વિશે વાત કરે છે. વિવેકે ટ્વીટ કરી, ભારતીય ન્યાયપાલિકા કાશ્મીરી હિંદુ નરસંહારની અદેખાઈ કરી રહી છે. હજુ પણ આપણા બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈએ અનુસાર કાશ્મીરી હિંદુઓના અધિકાર અને તેમની રક્ષા કરવામાં અસફળ સાબિત થયા છે.

યૂઝરે મણિપુર ફાઈલ્સ બનાવવાની વાત કરી

આ પોસ્ટ પર એક યૂઝરે રિએક્શન આપ્યું છે. તેમણે લખ્યું, સમય વ્યર્થ ન કરો, જાઓ અને એક ફિલ્મ મણિપુર ફાઈલ્સ પર બનાવો. જો ખરેખર તારી અંદર ખેરખર કશુ કરવાની તાકાત છે. આ ટ્વીટનો જવાબ આપતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, શું બધા વિષયો પર તે જ ફિલ્મ બનાવશે, તો ઈન્ડસ્ટ્રીના બાકીના ફિલ્મ નિર્માતાઓ શું કરશે. આભાર તમારો કે તમે મારા પર વિશ્વાસ દેખાડ્યો. પણ બધી ફિલ્મો મારી પાસેથી જ બનાવડાવશો કે શું. તારી ઈન્ડિયા ટીમમાં કોઈ ફિલ્મમેકર નથી કે શું.

શું થયું મણિપુરમાં

પાછલા બે મહિનાથી મણિપુરમાં હિંસા ચાલી રહી છે. રાજ્યમાં 3 મેના રોજ કુકી સમુદાય અને મેતઈ સમુદાયની વચ્ચે જાતિના આરક્ષણને લઇ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 150થી વધારે લોકોએ આ વિવાદને લીધે જીવ ગુમાવ્યો છે તો 50 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.