'આત્મહત્યા વિશે વિચારતો હતો', કપિલનો મોટો ખુલાસો, કહ્યું-સમજાવવાવાળું કોઈ નહોતું

કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે કપિલ શર્મા લાંબા સમય પછી ફિલ્મી પડદે પરત ફરી રહ્યો છે. પોતાની કોમેડીથી હંમેશા દર્શકોને હસાવનાર કપિલ શર્માએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાની કારકિર્દી અને જીવનના અંધકારમય સમય વિશે જણાવ્યું હતું. કપિલે કહ્યું કે, એક સમય એવો હતો, જ્યારે તેને આત્મહત્યા કરવાનું મન થતું હતું.

કોમેડિયન કપિલ શર્મા મીડિયા સાથે વાતચીત દરમિયાન ઘણી ફની વાતો શેર કરતો જોવા મળવાનો છે. આ દરમિયાન તે મીડિયા સાથે વાતચીતમાં તેની કારકિર્દીના મુશ્કેલ સમય અને તેના જીવનના પસાર કરેલા ખરાબ દિવસો વિશે ચર્ચા કરતો જોવા મળશે. પ્રોમો વીડિયોમાં બંને વાત કરતા જોઈ શકાય છે. મીડિયા સાથે વાતચીતમાં કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, શું તમે ક્યારેય આત્મહત્યા કરવાનું વિચાર્યું છે? શું તમે આત્મહત્યા વિશે વિચાર્યું છે?

પોતાના જીવનના એક ખરાબ સમય તરફ ઈશારો કરતા કપિલે કહ્યું, 'સર, હું તેની જ તો વાત કરી રહ્યો છું, તે તબક્કામાં તે આવું જ લાગતું હતું, હા મેં એવું વિચાર્યું. મને લાગતું હતું કે કોઈ મારું નથી. એવું કંઈ દેખાતું જ ન હતું. ન કોઈ કોઈને સમજાવવાવાળું, ન કોઈ કાળજી લેવાવાળું. એ પણ જાણી શકાયું નથી કે આસપાસના એવા લોકો કોણ છે કે, જેઓ નફા માટે જોડાયેલા છે. ખાસ કરીને કલાકાર લોકો.'

જો તમે કપિલ શર્મા વિશે જાણો છો, તો તમને ખબર હશે કે કોમેડિયનના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે ડિપ્રેશનમાં હતો. મીડિયાના સૂત્રો આ વિશે પણ કોમેડિયન સાથે વાત કરવાના છે. વાતચીત દરમિયાન મીડિયા પૂછે છે કે, જ્યારે તમે તમારા શોમાં છોકરાઓને છોકરીઓ બનાવો છો તેવો વિચાર કોને આવ્યો હતો? તમારા જોક્સ એવા હોય છે કે તે ઘણીવાર હદ વટાવી જાય છે. તમને શું થયું હતું, શું તું ડિપ્રેશનમાં ગયો હતો કે સ્ટારડમને સંભાળી શકવામાં અસમર્થ હતો?'

કપિલ શર્મા શનિવાર, 11 માર્ચે રાત્રે 9 વાગ્યે મીડિયા સાથેની એક વાતચીતમાં આ બધી બાબતોનો જવાબ આપતા જોવા મળશે. આ સિવાય કપિલ તેની મિડલ ક્લાસની આદતો, PM નરેન્દ્ર મોદી અને 'ધ કપિલ શર્મા શો' વિશે પણ મજાક કરવા જઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.