ભાજપે શાહરૂખનો આભાર માનતા કહ્યુ- જવાન કોંગ્રેસના 10 વર્ષના ભ્રષ્ટ શાસન પર બની છે

ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની નવી ફિલ્મ ‘જવાન’નો સંદર્ભ આપતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો અને દાવો કર્યો કે આ ફિલ્મે કોંગ્રેસ નીત સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ના 10 વર્ષના ભ્રષ્ટ અને નીતિગત પંગુતાથી ગ્રસ્ત શાસનને બેનકાબ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ 9 વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ સાથે ફિલ્મનું પોસ્ટર શેર કરતા X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં લખ્યું ‘આપણે જવાન ફિલ્મના માધ્યમથી વર્ષ 2024 થી વર્ષ 2014 સુધી ભ્રષ્ટ, નીતિગત પંગુતાથી ગ્રસ્ત કોંગ્રેસ શાસનને બેનકાબ કરવા માટે શાહરુખ ખાનનો આભાર માનવો જોઈએ.

તેમણે દાવો કર્યો કે, આ ફિલ્મ બધા દર્શકોને UPA સરકાર દરમિયાન થયેલા દુઃખદ રાજનૈતિક ભૂતકાળની યાદ અપાવે છે. જવાન એક પિતા-પુત્રની કહાની છે અને શાહરુખ ખાન બેવડી ભૂમિકામાં છે. એક સૈનિક, રોમાન્ટિક હીરો અને એક રોબિન હૂડ જેવા વ્યક્તિની ભૂમિકામાં શાહરૂખને આ ફિલ્મમાં રાજનેતાઓ અને બિઝનેસમેનોના ગઠબંધનનો મુકાબલો કરતો જોઈ શકાય છે.

ફિલ્મમાં સરકારી ઉદાસીનતા, ભ્રષ્ટાચાર, ખેડૂતોની આત્મહત્યા, ઓક્સિજનની કમીના કારણે હૉસ્પિટલમાં બાળકોના મોત, સેનાના દોષપૂર્ણ હથિયાર અને રહેણાંક વિસ્તારો પાસે ખતરનાક કારખાનાઓ જેવા મુદ્દાનો પણ સ્પર્શ કર્યો છે. પ્રમુખ દૃશ્યોમાંથી એકમાં એક્ટર સામાન્ય લોકો પાસે સમજદારીથી મતદાન કરવાનો પણ આગ્રહ કરે છે. ભાટિયાએ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર કોંગ્રેસને નિશાનો બનાવવા માટે રાષ્ટ્રમાંડળ રમત, 2G અને કોયલા જેવા કૌભાંડ ગણાવ્યા અને દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનો ચોખ્ખો રેકોર્ડ રહ્યો છે અને છેલ્લા સાડા નવ વર્ષમાં કોઈ કૌભાંડ થયો નથી.

તેમને કહ્યું કે, મોદી સરકારે પારદર્શિતા અને ઈમાનદારી યથાવત રાખી છે. સરકારે 2.3 લાખ બુલેટપ્રૂફ જેકેટ પ્રદાન કર્યા, વન રેન્ક વન પેન્શન (ORPO) યોજનાના માધ્યમથી 1.2 લાખ કરોડ રૂપિયા વિતરીત કર્યા અને સશસ્ત્ર બળોને રાફેલ, અપાચે અને ચિનુક સાથે અપગ્રેડ કર્યા. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ભાટિયાએ કહ્યું કે, ભાજપ નીત NDAએ પુલવામાં હુમલાનો નિર્ણાયક અને તેજીથી જવાબ આપ્યો અને બાલાકોટ એરસ્ટ્રાઈક હુમલા કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે, UPA ગઠબંધન સરકારે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાઓ બાદ સર્જિકલ સ્ટ્રાઇકના પૂર્વ એર ચીફ માર્શલ ફલી હોમી મેજરના અનુરોધને નકારી દીધો હતો.

જવાન ફિલ્મના એક સંવાદનો સંદર્ભ આપતા ભાજપના પ્રવક્તાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું કે, જેમ કે તે (ખાન) કહે છે, અમે જવાન છીએ, પોતાનો જીવ હજાર વખત દાવ પર લગાવી શકીએ છીએ, પરંતુ માત્ર દેશ માટે. તમારા જેવા દેશ વેચનારાઓ માટે ક્યારેય નહીં. આ ગાંધી પરિવાર માટે ખૂબ ઉપયુક્ત છે. ભાટિયાએ દાવો કર્યો કે, કોંગ્રેસ કાર્યકાળમાં ઓછામાં ઓછા 1.6 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી, જ્યારે NDA સરકારે MSP લાગૂ કરી અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી 11 કરોડ ખેડૂતોના બેંકમાં ખાતામાં સીધા 2.55 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આભાર શાહરુખ ખાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ મુદ્દા હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.