CSK ચેમ્પિયન બનતા અનુષ્કાનું દિલ થયું ખુશ, ધોની બ્રિગેડને લઈને કહી આ વાત

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ વરસાદથી પ્રભાવિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી. આ ફાઇનલ મેચ ખૂબ રોમાંચક રહી, જેનું પરિણામ છેલ્લા બૉલ પર આવ્યું. રવીન્દ્ર જાડેજા (6 બૉલમાં નોટઆઉટ 15 રન)એ છેલ્લા બે બૉલમાં ક્રમશઃ સિક્સ અને ફોર લગાવીને ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂરિયાત હતી અને અંતિમ ઓવરમાં મોહિત શર્મા બોલિંગ કરવા આવ્યો.

મોહિત શર્માએ પોતાની અને મેચની છેલ્લી ઓવરની શરૂઆત યોર્કરથી કરી. શરૂઆતી 4 બૉલમાં ચેન્નાઈને 3 જ રન બનાવવા દીધા. હવે છેલ્લા 2 બૉલ બાકી હતા અને ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરૂરિયાત હતી, ચેન્નાઈ સુપર કિંગ્સનું ડગઆઉટ નિરાશ થઈ ગયું હતું, પરંતુ રવીન્દ્ર જાડેજાએ હાર માની નહોતી, તેણે મોહિત શર્માના પાંચમા બૉલ પર સિક્સ લગાવીને ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની આશા જીવંત રાખી હતી. ત્યારબાદ અંતિમ બૉલમાં જાડેજાએ ફોર મારીને ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવી દીધી.

ચેન્નાઈ સુપર કિંગ્સની જીત પર અનુષ્કા શર્માએ પણ રીએક્ટ કર્યું છે. કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) લીગ સ્ટેજથી જ બહાર થઈ ગઈ હતી. અનુષ્કા શર્માનું દિલ રોમાંચક મેચ જોઈને ખુશ થઈ ગયું. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને શાનદાર ટીમ કરાર આપ્યો. તેમણે મંગળવારે ઇન્સ્ટા સ્ટોરી પર ધોનીના રવીન્દ્ર જાડેજાને ખોળામાં ઉઠાવવાની તસવીર શેર કરતા લખ્યું કે, ‘શું રોમાંચક મેચ રહી! શું લાજવાબ જીત હાંસલ કરી! શું શાનદાર ટીમ છે.’ એક્ટ્રેસે તેની સાથે હાર્ટ ઇમોજી પણ લગાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સર્વોચ્ચ IPL ટ્રોફી જીતવાની બાબતે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની બરાબરી કરી લીધી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચની વાત કરીએ તો. ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. સાઈ સુંદર્શને 47 બૉલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. 215 રનનો પીછો કરવા ચેન્નાઈ સુપર કિંગ્સ મેદાનમાં ઉતરી જ હતી કે પહેલી જ ઓવરમાં વરસાદે ખલેલ પહોંચાડી. ઘણા સમય સુધી મેચ રોકાઈ રહી, ત્યારબાદ મેચમાં ઓવર ઘટાડીને 15 ઓવરની કરી દેવામાં આવી. ચેન્નાઈને 15 ઓવરમાં ચેન્નાઈએ 171 રનનો ટારગેટ મળ્યો હતો, જેને ચેન્નાઈએ છેલ્લા બૉલ પર હાંસલ કરીને પાંચમી વખત ટ્રોફી પોતાના નામ કરી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.