જાણો કોણ છે એ સંત જેમણે અનુષ્કા અને વિરાટને ન ઓળખ્યા, દીકરીને આપ્યા આશીર્વાદ

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. ત્યાં તેમણે સ્વામી પ્રેમનંદજી મહારાજ આશ્રમમાં જઇને શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહરાજના દર્શન કર્યા હતા. પ્રેમાનંદ મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. સાથે જ તેમની નાની દીકરીને પણ આશીર્વાદ આપ્યા હતા, પરંતુ આ મુલાકાતની સૌથી અનોખી વાત એ હતી કે, તેમણે મીડિયામાં છવાયેલા વિરાટ કોહલી અને જાણીતી એક્ટ્રેસ અનુષ્કાને ન ઓળખી શક્યા.

સેલિબ્રિટી દંપતી સાથે આવેલા લોકોએ તેમનો પરિચય કરાવ્યો તો બાબાએ કોઇ વિશેષ પ્રતિક્રિયા ન આપી. સામન્ય ભક્તોની જેમ તેમને આશીર્વાદ આપ્યા. તેમની મુલાકાતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોને એ જાણવાની ઇચ્છા થઇ કે, આ બાબા આખરે કોણ છે, જે આ બંનેના પરિચયથી અજાણ છે? શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજનો જીવન પરિચર ઇન્ટરનેટ પરિચય પર રસ મહિમા નામની વેબસાઇટ પરથી મળ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Virushka Empire (@virushka_empire)

એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર બાબાના પ્રવચન વગેરે ચાલે છે. તેના લગભગ 3 લાખ સબ્સ્ક્રાઇબર્સ પણ છે. બાબા હાલમાં તો વૃંદાવનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ કાનપુરના સરસોલ બ્લોકના અખરી ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ શંભુ પાંડે છે, તો માતાનું નામ રામ દેવી છે. જન્મ બાદ તેમને મહારાજ અનિરુદ્ધ કુમાર પાંડેના નામથી ઓળખવામાં આવ્યા. બાળપણથી જ તેઓ ધાર્મિક પ્રવૃત્તિના હતા. ખૂબ ઓછી ઉંમરમાં જ તેમણે ઘર છોડી દીધું હતું. પહેલા તેઓ બનારસ ગયા, ત્યારબાદ વૃંદાવન આવી ગયા. અહીં તેમને ગુરુ મળ્યા.

તેમના ગુરુનું નામ એક જગ્યાએ શ્રી ગૌરંગી શરણજી મહારાજ બતાવવામાં આવ્યું છે. ગુરુ પાસે દીક્ષા મળ્યા બાદ પ્રેમાનંદજી વૃંદાવનમાં જ રોકાઇ ગયા અને ત્યાં જ આશ્રમમાં રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 4 જાન્યુઆરી 2023ના રોજ વૃંદવનના એક આશ્રમની મુલાકાત લીધી હતી. કપલ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજીને મળવા પહોંચ્યું હતું. વાયરલ થયેલી તસવીરોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જમીન પર બેઠા નજરે પડી રહ્યા છે અને કપલની લડકી દીકરી વામિકા પોતાની માતાના ખોળામાં બેઠી દેખાઇ રહી છે. તસવીરમાં વિરાટ-અનુષ્કા હાથ જોડતા મહારાજને નમન કરતા નજરે પડી રહ્યા છે.

વિરાટ, અનુષ્કા અને તેમની દીકરી વામિકાએ નવેમ્બર 2022માં નૈનીતાલ, ઉત્તરખંડનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન કપલ ત્યાંનાં જાણીતા મંદિરોના દર્શન કરતું નજરે પડ્યું હતું. આ દરમિયાન કેચી ધામ મંદિરના દર્શન પણ કર્યા હત। ત્યારબાદ બંને બાબા નીમ કરોલીના આશ્રમમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. પોતાના આ પ્રવાસ પર સ્ટાર કપલે ફેન્સ સાથે ખૂબ તસવીરો પણ ખેચાવી હતી.    

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.