સવારે 5:12 વાગ્યે રીલિઝ થશે 'સાલાર'નું ટીઝર, જાણો કારણ

દરેક વ્યક્તિ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ બસ હવે આવવાની જ છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ 'સાલાર'નું ટીઝર ગુરુવારે સવારે 5.12 વાગ્યે રીલિઝ થશે. પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઈને ઉત્તેજના બેવડાઈ છે. પ્રથમ, તે પ્રભાસની ફિલ્મ છે અને બીજું, 'સાલાર' 'KGF' સાથે સંબંધિત હોવાની દરેક શક્યતા છે. ફિલ્મના પોસ્ટરોએ પહેલેથી જ ઉત્સુકતા વધારી દીધી છે, જ્યાં ડાર્ક થીમમાં પ્રભાસ હાથમાં હથોડી અથવા કુહાડી લઈને ઉભો જોવા મળે છે. પણ શું સાલારને ખરેખર રોકી ભાઈની 'કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ' એટલે કે KGF સાથે કોઈ સંબંધ છે? છેલ્લા બે વર્ષથી ચાહકોથી લઈને ફિલ્મ પંડિતો આ વિશે અનુમાન લગાવી રહ્યા છે. મજાની વાત તો એ છે કે, ચાહકોની સાથે કેટલાક ટ્રેડ એનાલિસ્ટ પણ ટીઝર રીલિઝના સમયને KGF સાથે સાંકળી રહ્યા છે.

'KGF' અને 'KGF 2' જોયા પછી એમાં કોઈ શંકા નથી કે દિગ્દર્શક પ્રશાંત નીલ વાર્તામાં કોઈ નવો વળાંક જોઈ શકે છે. અમે તેના ટ્વિસ્ટની ઝલક જોઈ છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પક્કડ ધરાવતા ટ્રેડ એનાલિસ્ટ મનોબલ વિજયબાલને ટ્વિટર પર લખ્યું છે કે 'સાલાર'નું ટીઝર રીલિઝ કરવાનો સમય સવારે 5:12 છે. શું એવું તો નથી કે 'KGF 2'ના ક્લાઈમેક્સમાં જ્યારે રોકીના જહાજ પર સમુદ્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે પણ ઘડિયાળના કાંટા એ જ સમય દેખાડી રહ્યા હતા?

મનોબલ આગળ લખે છે, 'તે પ્રશાંત નીલનો માસ્ટર પ્લાન લાગે છે અને KGF સાથે સાલારનું જોડાણ જબરદસ્ત છે.' દેખીતી રીતે, આ જોડાણ એવું છે કે જો તે સાચું નીકળે, તો 'સાલાર' અને 'KGF' વિશે અત્યાર સુધી આવેલી તમામ થિયરીઓ એક સાથે ભળી જશે. જ્યારથી પ્રશાંત નીલ દ્વારા 'સાલાર'ની જાહેરાત કરવામાં આવી છે, જ્યારથી પ્રભાસ અને પ્રશાંત નીલ સાથે યશની તસવીર સામે આવી છે અને જ્યારથી ખબર પડી છે કે, 'KGF' ફ્રેન્ચાઈઝી 5 ભાગોમાં બનાવવામાં આવશે, ત્યારથી અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, આ બધું એમ જ નથી થઇ જતું, ચાલો સમજીએ કે કેવી રીતે...

'સાલાર' એટલે અંગરક્ષક. હવે જો તમને 'KGF ચેપ્ટર 2'નો ફરમાન યાદ છે, તો ધ્યાન આપો. ફરમાન એ મજૂરોના જૂથમાંનો છોકરો હતો, જે રોકીને બચાવવા માટે બંદૂક લઈને પુલ પર ગયો હતો. અધીરાને રોકવા માટે ફરમાને જ લાકડાના પુલને આગ લગાવી દીધી હતી. જો કે, ત્યાર પછી બતાવવામાં આવ્યું છે કે, ફરમાનનું મૃત્યુ થયું છે, પરંતુ તેના મૃતદેહનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. ફરમાનની માતાએ પણ પુત્રનો મૃતદેહ જોયો ન હતો. હવે અટકળો છે કે ફરમાન જીવિત છે અને તે મોટો થઈને 'સાલાર' બન્યો છે. એટલે પ્રભાસ.

બીજી રસપ્રદ વાત એ છે કે, ઈશ્વરી રાવે 'KGF ચેપ્ટર 2'માં ફરમાનની માતાની ભૂમિકા ભજવી છે. ઇશ્વરી રાવ પ્રભાસની 'સાલાર'માં પણ છે. સમજાય છે કે, રોકીએ ફરમાનને પોતાનો 'સાલાર' બનાવીને દૂરના દેશમાં મોકલી દીધો હતો. રોકીના જીવનના ચાર વર્ષ (1978-1981) જેનો 'KGF 2'માં કોઈ હિસાબ નથી, એવું અનુમાન છે કે, આ ચાર વર્ષમાં માત્ર રોકી અને તેના 'સાલાર'ની આખી રમત થઈ છે. જ્યારે રોકી તમામ સોના સાથે દરિયામાં ડૂબી રહ્યો હતો, ત્યારે પણ અન્ય દેશોના એક-બે વધુ જહાજો આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવતા જોવા મળ્યા હતા. એ જહાજ બીજું કોઈ નહીં પરંતુ 'સાલાર' લઈને આવ્યો હતો.

આમ જોવા જઈએ તો, એવા પણ સમાચાર છે કે 'રોકી ભાઈ' યશ, ફિલ્મ 'સાલાર'માં એક કેમિયોમાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, 'સાલાર'ના ડાયરેક્ટરથી લઈને ક્રૂ મેમ્બર્સ સુધી આ જ લોકો 'KGF 2'નો હિસ્સો રહ્યા છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે 'સાલાર'ની વાર્તા ક્યાંકને ક્યાંક 'KGF 2' સાથે જોડાયેલી છે. ચર્ચા છે કે પ્રશાંત નીલ 'KGF' અને 'સાલાર'ની દુનિયાને જોડીને એક નવી દુનિયા બનાવવા માંગે છે. જેમ કે દિગ્દર્શક લોકેશ કનગરાજે તેમની ફિલ્મો સાથે શું કર્યું છે. જો કે, હજુ સુધી આમાંથી કોઈની પુષ્ટિ થઈ નથી.

પ્રશાંત નીલના મનમાં શું ચાલી રહ્યું છે અને તે શું ધમાલ મચાવવા જઈ રહ્યો છે, તેની એક ઝલક હવે ગુરુવારે સવારે 5:12 વાગ્યે જોવા મળશે. એટલું તો ચોક્કસ છે કે, હવે તેઓ એક નવું 'તોફાન' લઈને આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.