ઉર્ફી જાવેદને જોઈએ છે સિક્યોરિટી, ધમકીઓ વચ્ચે એક્ટ્રેસે કરી દિલની વાત

ઉર્ફી જાવેદ પોતાના કામ અને શોઝથી વધારે પોતાના લૂક્સ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. હાલમાં જ એક્ટ્રેસ એટલા માટે ચર્ચામાં હતી કારણ કે તેણે પોતાના માટે સિક્યોરિટીની માંગ કરી હતી. ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં હસીનાએ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું હતું. ઉર્ફીએ કહ્યું હતું કે, તેને સિક્યોરિટી કેમ જોઈએ છે. તે આ રીતના બોલ્ડ આઉટફીટ્સ અને લૂક્સ શા માટે પહેરે છે. તેનો પરિવાર આ અંગે શું વિચારે છે અને કહે છે. આ સિવાય રોજની તેને જે રેપ અને મર્ડરની ધમકીઓ મળે છે તેની પર એક્ટ્રેસનું શું રિએક્શન હોય છે. આ તમામ સવાલના જવાબ તેણે પોતાના ઈન્ટરવ્યુમાં આપ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

મહારાષ્ટ્રના એક મહિલા સંગઠને હાલમાં જ મુંબઈ પોલીસને વિનંતી કરી હતી કે ઉર્ફી જાવેદને સિક્યોરિટી આપવામાં આવે. ઉર્ફીએ સિક્યોરિટીની માંગણી કેમ કરી તે અંગે તેણે કહ્યું હતું કે તે લોકોના તેના કપડાં પરના રિએક્શન અને કેટલાંક નેતાઓની તેના વિરુદ્ધની ફરિયાદના કારણે તે ઘણું અસુરક્ષિત મહેસૂસ કરે છે અને આથી તેને લાગે છે કે તેને સિક્યોરિટીની જરૂર છે. ઉર્ફી જાવેદે આ ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે કંઈ રીતે રોજે રોજ તેને સોશિયલ મીડિયા પર અને ફોન પર પણ રેપ અને મર્ડરની ધમકીઓ મળતી રહે છે, જેનાથી તે ઘણી પરેશાન છે.

તેની સુરક્ષાને લઈને તેના માતા પિતા પણ એટલા જ પરેશાન છે. ઉર્ફીએ કહ્યું છે કે તે આ રીતના કપડાં લોકોનું અટેન્શન પોતાની તરફ કરવા માટે પહેરે છે અને આ વાતનો તે સ્વીકાર પણ કરે છે. તેનું માનવું છે કે આ ઈન્ડ્સ્ટ્રીમાં સૌને ફેમ અને અટેન્શન જોઈએ છે અને તેવામાં આ તેની રીત છે, તો તેમાં કંઈ ખોટું નથી.

થોડા દિવસો પહેલા જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે માત્ર તેના વાળની ચોટલીની મદદથી પોતાના ઉપરના ભાગને ઢાંકેલો છે અને શરીર પર એકમાત્ર કપડું પહેરેલું જોવા મળે છે. તે આવા અજીબો ગરીબ રીતના કપડાં પહેરીને લોકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરતી રહે છે અને આમાં તે ઘણે અંશે સફળ પણ થઈ છે. બોલિવુડના ઘણા મોટા ફેશન ડિઝાઈનરોએ પણ ઉર્ફીના વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા કપડાં અને ફેશન સેન્સના વખાણ કર્યા છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.