જમાઇના સ્વાગતમાં એક પરિવારે પરોસ્યા 173 પકવાન, સાસૂને તૈયારીમાં 4 દિવસ લાગ્યા

દિકરીનો પતિ એટલે કે, ઘરના જમાઇનું સ્વાગત અને સન્માન ભારતીય પરિવારોમાં ખાસ સ્થાન રાખે છે. ઉત્તર હોય કે દક્ષિણ અને પૂર્વ હોય કે પશ્ચિમ, દેશના દરેક હિસ્સામાં સાસરા વાળા પોતાની ક્ષમતાથી ઉપર જઇને જમાઇનું સ્વાગત કરે છે અને જોગવે છે. એમ કહી શકાય કે, બીજા સગા સંબંધીઓની સરખામણીમાં ઘણા જમાઇ પોતાનો દિકરીના ઘરમાં એક વિશેષ દરજ્જો હોય છે. હાલમાં જ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાથી પણ એક જમાઇના સ્વાગત સત્કારમાં 173 પકવાન પરોસવામાં આવ્યા હતા.

એ જિલ્લામાં ભીમાવરમનો આ કિસ્સો છે. એ વિસ્તારમાં એક વ્યવસાયી ટાટાવર્તી બદ્રીએ પોતાના હૈદરાબાદ નિવાસી જમાઇ ચાવલા પૃથ્વીગુપ્ત અને દિકરી શ્રી હરિકાને સંક્રાંતિના પર્વના અવસર પર આમંત્રિત કર્યા હતા અને પોતાના ઘરે જ 173 પ્રકારના વ્યંજનો પોતાના દિકરી જમાઇની સમક્ષ રજૂ કર્યા હતા.

સસરા બદ્રીએ કહ્યું કે, મારી દિકરી શ્રી હરિકા અને જમાઇ ચાવલા પૃથ્વીગુપ્ત ગયા બે વર્ષથી કોવિડ 19ના પ્રતિબંધોના કારણે અમારા ઘરે આવી નહોતા શક્યા. આ બે વર્ષોમાં અમે પોતાની દિકરી અને જમાઇની સાથે મકરસંક્રાંતિનો તહેવાર પણ ન ઉજવી શક્યા હતા. પણ આ વર્ષે અમે સાથે આ તહેવારની ધામધૂમથી અને ઉત્સાહ સભર ઉજવણી કરી હતી.

ટાટાવર્તી બદ્રી અનુસાર, તેની પત્ની આ દરેક 173 પ્રકારના પકવાનોને તૈયાર કરવા માટે છેલ્લા ચાર દિવસથી કામ કરી રહી હતી. જ્યારે, મકરસંક્રાંતિના શુભ અવસરના આગમન પર અમે પોતાના દિકરી જમાઇને આમંત્રિત કર્યા અને તેમને દરેક વ્યંજન પરોસ્યા હતા.

બદ્રીની પત્ની સંધ્યાએ કહ્યું કે, જમાઇ માટે તૈયાર કરવામાં આવેલા આ ખાસ વ્યંજનોમાં ભજિયા, પુરી, કરાલે, હલવો, પાપડ, અથાણું, અનેક પ્રકારના મિષ્ટાન્ન અને અલગ અલગ પ્રકારની મિઠાઇ, મુખવાસ, પાન, ગોલી સોડા વગેરે પણ શામેલ હતા. દિકરી તેના પિયર તરફથી કરવામાં આવેલું તેમનું આ પ્રકારનું સ્વાગત સત્કાર જોઇને અત્યંત ખુશી અનુભવી રહી હતી અને દરેકે ડાઇનિંગ ટેબલ પર સાથે બેસીને આ બધા વ્યંજનોનો આનંદ માણ્યો હતો અને તહેવારની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.