ચાઇનીઝ માંજો વેચતા પકડાયા તો ભાજપ સરકારે બુલડોઝર ફેરવીને ઘર તોડી પાડ્યું

ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે અને ફરી એકવાર ઘણા રાજ્યોમાં ચાઇનીઝ દોરા વેચવા પર પ્રતિબંધ છે. પણ મધ્ય પ્રદેશની સરકારે ચાઇનીઝ માંજો વેચનાર સામે કડક પગલાં લીધા છે.

મધ્યપ્રદેશ સરકારે ચાઈનીઝ માંઝા વેચવાના આરોપમાં બે વેપારીઓના ઘર બુલડોઝર વડે તોડી પાડ્યા હતા. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. મધ્યપ્રદેશ સરકારે ચાઈનીઝ માંજાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉજ્જૈન પોલીસે મોહમ્મદ ઈકબાલ અને હિતેશ ભોજવાની નામના બે વેપારી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. તાજેતરમાં જ નરોત્તમ મિશ્રાએ ચેતવણી આપી હતી કે ચાઈનીઝ માંઝા વેચનારાઓ સામે નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

ઉજ્જૈન પોલીસ ચાઇનીઝ માંજાને રોકવા માટે ડ્રોનથી નજર રાખી રહી છે. તંત્રએ તપાસ પછી બે વેપારીઓને ચાઇનીઝ માંજો વેચવાના આરોપી જણાયા. બંને વેપારીઓના ઘરેથી ચાઇનીઝ માંજાના અનેક બોબીન મળ્યા. મોહમંદ ઇકબાલનું ઘર 4 જાન્યુઆરીએ તોડી પાડવામાં આવ્યું હતું, તો હિતેશ ભોજવાનીના ઘરે બીજા દિવસે કાર્યવાહી કરવામાં આવી હતી.

સિટી SP વિનોદ મીણાએ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, ઉજ્જૈનમાં ચાઇનીઝ માંજાની ખરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 2 વેપારીઓને ચાઇનીઝ માંજો વેચતા રંગહાથ પકડી લેવામાં આવ્યા હતા. તંત્રએ બંને વેપારીઓના ઘર તોડી પાડ્યા છે.

મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ ચાઈનીઝ માંઝા વેચવા માટે ઘર તોડી પાડવાની વાત પણ કરી છે. જો કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે આવા ગુના માટે કોઈનું ઘર તોડી પાડવામાં આવે. વહીવટીતંત્રનો દાવો છે કે બંને વેપારીઓના ઘરના અમુક ભાગનું બાંધકામ ગેરકાયદે હતું.

SP સત્યેન્દ્ર કુમાર શુક્લાએ ANIને જણાવ્યું કે,ચાઈનીઝ માંઝા વેચનારાઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. અમે કાર્યવાહી ચાલુ રાખીશું. ઉજ્જૈનમાં એક છોકરીનું ગળું કપાયા બાદ મોત થયું હતું. આ વર્ષે ચાઈનીઝ માંઝાને કારણે ઘવાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

ચાઈનીઝ માંઝામાં કાચના ટુકડા ઓગાળીને પતંગની દોરી પર લગાવવામાં આવે છે. જેથી બીજાની પતંગ સરળતાથી કાપી શકાય. પણ આ  એકદમ ઘાતક છે. જેના કારણે અનેક લોકોના મોત થયા છે.

આ પહેલાં 5 જાન્યુઆરીએ નરોતમ મિશ્રાએ કહ્યુ હતું કે ઉજ્જૈનમાં ચાઇનીઝ માંજો વેચનાર સામે કેટલી કડક કાર્યવાહી થઇ છે તે બધાએ જોયું છે. તેમના મકાન સુદ્ધાં તોડી પાડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે મકરસંક્રાંતિ પહેલા હું પતંગના વેપારીઓને ચેતવણી આપું છું કે ચાઈનીઝ માંજો વેચવાનો વિચાર પણ કરતા નહી, એવી કાર્યવાહી કરવામાં આવશે કે એક મિસાલ બની જશે.

ગયા વર્ષે પણ, ઉજ્જૈન પ્રશાસને ત્રણ વેપારીઓના ઘરોને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીના થોડા દિવસો પહેલા જ ચાઈનીઝ માંઝા વેચવા બદલ તમામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ગત જાન્યુઆરીમાં ઉજ્જૈનમાં માંજાને કારણે 20 વર્ષની યુવતીનું મોત થયું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.