મકર સંક્રાંતિ 14 કે પછી 15મી તારીખે છે? જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત

મકર સંક્રાંતિનો પાવન પર્વ આ વખતે 15મી જાન્યુઆરી, 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ હિન્દુ ધર્મના લોકો માટે વિશેષ મહત્વ રાખે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે. આ દિવસે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે અને તેથી આ દિવસને મકર સંક્રાંતિ પર પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓનો મેળો વિભિન્ન નદીઓના ઘાટ પર લાગે છે. આ શુભ દિવસે તલ, ખિચડીનું દાન કરવામાં આવે છે.

ઉદયાતિથિ અનુસાર, મકર સંક્રાંતિ આ વખતે 15મી જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિની શરૂઆત 14મી જાન્યુઆરી, 2023ના રોજ રાતે 8 વાગીને 43 મિનિટ પર થશે. મકર સંક્રાંતિનો પુણ્ય કાળ મુહૂર્ત 15મી જાન્યુઆરીના રોજ સવારે 6 વાગીને 47 મિનિટ પર શરૂ થશે અને તેનું સમાપન સાંજે 5 વાગીને 40 મિનિટ પર થશે. મહાપુણ્ય કાળ સવારે 7 વાગીને 15 મિનિટથી સવારે 9 વાગીને 6 મિનિટ સુધી રહેશે.

આ દિવસે પ્રાતઃ કાળ સ્નાન કરીને લોટામાં લાલ ફૂલ અને અક્ષત નાખીને સૂર્યને અર્ધ્ય આપો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનો પાઠ કરો કે પછી ગીતાનો પાઠ કરો. નવા અન્ન, બ્લેન્કેટ, તલ અને ઘીનું દાન કરો. ભાજનમાં નવા અન્નની ખિચડી બનાવો. ભોજન ભગવાનને સમર્પિત કરીને પ્રસાદ રૂપે ગ્રહણ કરો. સંધ્યા કાળમાં અન્નનું સેવન કરો. આ દિવસે કોઇ ગરીબ વ્યક્તિને વાસણ સહિત તલનું દાન કરવાથી શનિ સાથે સંબંધિત પિડાથી મૂક્તિ મળે છે.

મકર સંક્રાંતિના દિવસે આ ખાસ ઉપાય કરો

  1. મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવાના પાણીમાં કાળા તલ નાખો. તલના પાણીથી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ આવું કરવાનારા વ્યક્તિને રોગથી મુક્તિ મળે છે.
  2. મકર સંક્રાંતિના દિવસે સ્નાન બાદ સૂર્ય દેવને દળ અર્પિત કરો અને સૂર્ય દેવને જળ ચડાવો તેમાં તલ અવશ્ય નાખો. આમ કરવાથી વ્યક્તિની બંધ કિસ્મતના દરવાજા ખુલી જાય છે.
  3. આ દિવસે બ્લેન્કેટ, ગરમ કપડા, ઘી, દાળ ચોખાની ખિચડી અને તલનું દાન કરવાથી ભૂલમાં થયેલા પાપોથી પણ મુક્તી મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
  4. આ દિવસે પિતૃઓની શાંતિ માટે જળ આપતી વખતે તેમાં તલ અવશ્ય નાખો. આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.
  5. જો આર્થિક રૂપે કોઇ સમસ્યા આવી રહી છે તો એ દિવસે ઘરમાં સૂર્યમંત્રની સ્થાપના કરવી અને સૂર્ય મંત્રનો 501 વખત જાપ કરવો.
  6. જન્માક્ષરમાં કોઇ પ્રકારનો સૂર્ય દોષ હોય તો તેના માટે તાંબાના સિક્કા કે તાંબાના ટુકડો જળમાં પ્રવાહિત કરો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.