ચિકન ખાતા હો તો થઇ શકો આ ગંભીર બીમારીનો શિકાર, WHOએ આપી ચેતવણી

જો તમે ચિકનના શોખીન છો અને ખૂબ જ સ્વાદ લઇને ખાઓ છો, તો જણાવી દઇએ કે તમારું મનપસંદ ભોજન તમને દુનિયાની 10મી સૌથી મોટી બીમારીનો શિકાર બનાવી શકે છે. એવુ અમે નથી કહી રહ્યા પરંતુ, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે અને સાથે જ લોકોએ તેને લઇને ચેતવ્યા પણ છે. WHOએ AMR એટલે કે એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સને 10માં સૌથી મોટા સ્વાસ્થ્ય જોખમો પૈકી એક ગણાવ્યું છે. તેમજ હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચિકન ખાવાથી લોકો સૌથી વધુ ઝડપથી એએમઆરનો શિકાર થઈ રહ્યા છે. ચિકન પ્રોટીન, વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે, એવામાં આ પૌષ્ટિક ભોજન બીમારીનું કારણ શા માટે અને કઈ રીતે બની રહ્યું છે, તેના વિશે જાણી લો-

WHO અનુસાર, આમ તો ચિકન ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જોકે, તેના સેવનથી તમારા શરીરમાં એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, એન્ટીફંગલ, એન્ટીપેરાસિટિક્સ સહિત ઘણી બીજી જીવન રક્ષક દવાઓની અસર ઓછી થઈ શકે છે. તેનાથી શરીરમાં વિકસી રહેલી ગંભીર બીમારીઓની સારવાર ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત, WHOએ પોલ્ટ્રી ફાર્મમાં ખોટી રીતે બની રહેલા ચિકનને લઇને પણ લોકોને ચેતવ્યા છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આજકાલ પોલ્ટ્રી ફાર્મમાં ચિકનને સારું ને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે વધુ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે, તેને કારણે તેની બોડીમાં સારી માત્રામાં એન્ટીબાયોટિક જમા થઈ જાય છે. તેમજ, આ દવાઓની સીધી અસર ચિકન ખાનારાઓ પર પડે છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે, જ્યારે તમે એન્ટીબાયોટિકથી ભરપૂર આ ચિકનને ભોજનના રૂપમાં ખાઓ છો, તો તેમા રહેલા તમામ એન્ટીબાયોટિક તમારા શરીરમાં ટ્રાન્સફર થઈ જાય છે. તેના કારણે સમયની સાથે બોડીમાં એન્ટીબાયોટિકને લઇને રેસિસ્ટન્સ પેદા થવા માંડે છે અને બોડી પર એન્ટીબાયોટિક દવાઓ કામ કરવાનું બંધ કરી દે છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ચિકન ખાવાથી તમે સૌથી વધુ ઝડપથી એએમઆરનો શિકાર બની શકો છો. ચિકનના સેવનથી તમારી બોડીમાં આવનારા એન્ટીબાયોટિક થોડાં સમય બાદ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સની સ્થિતિમાં આવી જાય છે. એવામાં બોડી ઘણા પ્રકારના ઇન્ફેક્શનનો શિકાર બની જાય છે. એટલું જ નહીં, હેલ્થ એક્સપર્ટ્સે આ પ્રકારના ઇન્ફેક્શનની સારવાર પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.