ઈમ્પેક્ટ ફીને લઈ CM પટેલે માર્યો છે માસ્ટર સ્ટ્રોક, સરકારની તિજોરી છલકાઈ જશે

1-10-2022 પહેલાંનાં વધારાનાં બાંધકામને ઈમ્પેક્ટ ફી લઈ કાયદેસર કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ભાજપ માટે ફાયદો દેખાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમ્પેક્ટ ફીને લઈ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પાછલા બે મહિના દરમિયાન મુખ્યમંત્રીએ શહેરી મતદારો માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી છે સાથો સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓને ગામડાંઓ સુધી લઈ જવામાં આવી છે.

ગયા વર્ષ સપ્ટેમ્બર મહિનામાં વિજય રૂપાણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદે આસિન થયેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ભાજપ સરકાર સામેનાં એન્ટી ઈન્કમ્બસી ફેક્ટરને ઓછું કરવામાં મોટો ફાળો આપ્યો છે. સરકાર અને સંગઠન સાથે રહીને લોકોને ફાયદો થાય તેવી યોજનાઓ અને વિકાસ કાર્યોની ભરમાર સર્જી દીધી છે.

13 મહિનાનાં શાસનમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના છેવાડા માનવી સુધી સરકારની યોજનાનાં લાભો પહોંચે તે માટે લાગલગાટ કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીના સિલસિલાનું મોર પિંછ સમાન કાર્ય ઈમ્પેક્ટ ફી છે. ઈમ્પેક્ટ ફીના કાયદાના સારા-નરસા પાસાઓની છણાવટ કરતાં પણ મહત્વનું એ છે કે કોઈકને કોઈ રીતે પોતાનાં મકાન,ઘર, બિલ્ડીંગ અથવા ઓફિસોમાં નાનું કે મોટું અને સરકાર ધારા ધોરણો પ્રમાણે નડતરરુપ ન હોય તેવા બાંધકામોને આનાથી કાયદેસર થવાની તક મળવાની છે.

નોંધનીય એ છે કે ગેરકાયદે બાંધકામનાં નામે જે તોડબાજો રાત-દિવસ લોકો અને બિલ્ડરોને હેરાન પરેશાન કરતા હતા તેમાંથી પણ તેમને મોટી રાહત મળવાની છે. ગેરકાયદે બાંધકામનાં નામે લોકો પાસેથી રુપિયા ખંખેરતી ટોળકીઓ આનાથી છાતીનાં પાટીયા બેસી જવાના છે એ પાક્કું છે. આ ઉપરાંત સરકારની તિજોરી પણ છલકાઈ જવાની છે.

ભૂતકાળમાં સુરતમાં તે સમયના મ્યુનિસિપલ કમિશનર સુંદરમૂર્તિ જગદીશન દ્વારા પહેલીવાર સુરતમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. બાદમાં તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કર્યો હતો.

About The Author

UD Picture

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.