સુનાવણી સમયે ગુજરાત હાઈકોર્ટના જજો વચ્ચે મતભેદ, હવે સીનિયર જજે કર્યું આ કામ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવે ચાલુ કોર્ટમાં માફી માગી છે. માફી એટલા માટે કારણ કે 23 ઓક્ટોબરના રોજ તેમની સુનાવણી દરમિયાન જસ્ટિસ મૌના ભટ્ટ સાથે તીખો મતભેદ થયો હતો. ત્યાર પછી 25 ઓક્ટોબરના રોજ જ્યારે જસ્ટિસ વૈષ્ણવ કોર્ટમાં પહોંચ્યા તો તેમણે વકીલો અને સ્ટાફના સભ્યોની સામે માફી માગી. લાઇવ લૉ અનુસાર, જસ્ટિસ વૈષ્ણવે કોર્ટમાં કહ્યું, સોમવારે જ થયું તે નહીં થવું જોઇતું હતું. હું ખોટો હતો. મને આના માટે ખેદ છે. હવે આજે અમે એક નવું સત્ર શરૂ કરીએ છીએ.

બે જજો વચ્ચે શું થયેલું

વાત 24 ઓક્ટોબર મંગળવારની છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જેમાં બે જજોની બેંચ સુનાવણી કરી રહી હતી. કોઇ વાત પર બંને જજોની વચ્ચે મતભેદ થયો. જે એટલો વધ્યો કે સીનિયર જજ સુનાવણીની વચ્ચે પોતાની સીટ છોડીને ચાલ્યા ગયા. સુનાવણી લાઇવ સ્ટ્રીમ ચાલી રહી હતી. તો આની ક્લિપ વાયરલ થઇ ગઈ.

મતભેદ શા માટે

બેંચમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ સુનાવણી કરી રહ્યા હતા. જસ્ટિસ ભટ્ટ, જસ્ટિસ વૈષ્ણવની વાતથી જુદો મત રાખતા હતા. જેના પર જસ્ટિસ વૈષ્ણવે કહ્યું, તો તમારો મત જુદો થયો. ત્યાર પછી ધીમા અવાજમાં જજ ભટ્ટ અને કોર્ટના સ્ટાફની વચ્ચે વાત થઇ, જે સ્પષ્ટ સંભળાઇ નહીં. ત્યાર પછી જસ્ટિસ બીરેને ઉત્તેજિત થઇને કહ્યું કે, તમે પહેલા પણ એક કેસમાં જુદો મત આપી ચૂક્યા છે. અહીં પણ રાખી શકો છો. જેના પર જસ્ટિસ ભટ્ટ જવાબ આપે છે કે, અહીં અલગ મતની વાત જ નથી. આ વાક્યને કાપતા જસ્ટિસ બીરેને કહ્યું કે, તો એક અલગ ચુકાદો આપો. ફુસફુસાવો નહીં.

ત્યાર બાદ જસ્ટિસ વૈષ્ણવ ઊભા થયા અને એવું કહીં ચેમ્બરમાં જતા રહ્યા કે બેંચ આજે અન્ય કોઇ સુનાવણી કરશે નહીં.

ગુજરાત હાઈકોર્ટની યૂટ્યૂબ ચેનલ દરેક બેંચની સુનાવણી લાઇવસ્ટ્રીમ કરે છે. આ મતભેદ બાદ જસ્ટિસ બીરેન અને જસ્ટિસ મૌના ભટ્ટની બેંચની સુનાવણીનો વીડિયો ગુજરાત હાઈકોર્ટે પોતાની ચેનલ પરથી હટાવી દીધો.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.