અક્ષય કુમારના માધ્યમથી નીતિન ગડકરીએ સમજાવ્યું રોડ સેફ્ટીનું મહત્ત્વ, જુઓ વીડિયો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કારમાં પાછલી સીટ પર પણ સીટ બેલ્ટ પહેરવા પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, દરેક યાત્રીઓએ સીટ બેલ્ટ લગાવવું અનિવાર્ય થઇ જશે. તેની સાથે જ મંત્રીને આશા છે કે, હાલના નાણાંકીય વર્ષના આખર સુધીમમાં દરેક કારોમાં 6 એરબેગ જરૂરી કરવાના નિયમોને અંતિમ રૂપ આપવામાં આવશે. આ દરમિયાન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી, નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો. તેમાં બોલીવુડ એક્ટર અક્ષય કુમારે અભિનય કર્યો અને ગાડીઓમાં છ એરબેગ કેટલા જરૂરી છે, તેના વિશે સમજાવ્યું.

લગભગ 1 મીનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ કારમાં લગ્ન પછી પોતાની દિકરીને વિદાય આપયો હતો. ત્યારે એક પોલીસકર્મીની ભૂમિકા ભજવી રહેલો અક્ષય કુમાર વીડિયોમાં આવે છે અને કહે છે કે, તેમણે રડવું જ જોઇએ, કારણ કે, તે પોતાની દિકરીને એક એવી કારમાં વિદાય આપી રહ્યા છે, જેમાં ફક્ત 2 જ એરબેગ છે. ત્યાર બાદ વીડિયોમાં કહેવાઇ રહ્યું છે કે, કાર અંદર યાત્રા કરતા લોકો માટે 6 એરબેગ કેમ જરૂરી છે. ત્યાર બાદ તે પિતા પોતાની દિકરીને 6 એરબેગ વાળી બીજી કારમાં વિદાય આપે છે.

સડક પરિવહન મંત્રાલયનું અનુમાન છે કે, જો સીટબેલ્ટ લાગેલી હોય તો છ એરબેગ હોય, તો 2020માં સડક દુર્ઘટનાઓમાં આમને સામને કે, સાઇડમાં ટક્કર લાગવાના કારણે માર્યા ગયેલા 39000 લોકોમાંથી કમસે કમ એક તૃત્યાંશ લોકોના જીવ બચી ગયા હોત. બે એરબેગ, એક ડ્રાઇવર અને તેની બાજુ વાળી સીટ માટે જ અનિવાર્ય છે. સરકારનું અનુમાન છે કે, ચાર એરબેગ જોડવા પર 75 ડોલરથી વધારની કિંમત નથી આવતી.

નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર કાર નિર્માતાઓ માટે રિયર સીટ બેલ્ટ માટે પણ અલાર્મ સિસ્ટમ લગાવવાનું અનિવાર્ય કરવા પર વિચાર કરી રહી છે. તેની સાથે જ દરેક નેશનલ હાઇવેને સુરક્ષિત બનાવવા માટે તેમનું ઓડિટ કરશે. ગડકરીએ કહ્યું કે, દરેક લોકો માટે જીવન સુરક્ષા જરૂરી છે. તેમણે કહ્યું કે, તેમણે વર્ષના અંત સુધીમાં એરબેગ નિયમને અંતિમ રૂપ આપવાની આશા વ્યક્ત કરી છે. ભારતીય ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના રોડ એક્સિડન્ટમાં નિધન બાદ સરકાર રોડ સેફ્ટી માટે કડક પગલા લેવા માટેની તૈયારીઓ કરી રહી છે.

About The Author

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.