આ રાજ્ય સરકારનો ઓર્ડર, 50થી વધુ ઉંમરના પોલીસકર્મીઓ થશે રિટાયર જો તેઓ...

આ ભાજપા શાસિત રાજ્ય સરકારે પોલીસને સ્વસ્થ રાખવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે આ રાજ્ય પોલીસમાં 50 વર્ષથી વધારે ઉંમરના પોલીસકર્મીઓને રિટાયર કરવામાં આવશે. જેને લઇ સ્ક્રીનિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 30 માર્ચ 2023ના રોજ 50 વર્ષનો આંકડો પાર કરી ચૂકેલા પોલીસકર્મીઓના ટ્રેક રેકોર્ડને જોઇ તેમને અનિવાર્ય સેવા નિવૃત્તિ આપી દેવામાં આવશે. એડીજી સ્થાપના સંજય સિંઘલ દ્વારા દરેક આઈજી રેંજ/ એડીજી ઝોન/ દરેક 7 પોલીસ કમિશ્નરની સાથે સાથે પોલીસના દરેક વિભાગને આ આદેશ મોકલી દેવામાં આવ્યો છે.

ટ્રેક રેકોર્ડના આધારે થશે નિર્ણય

ઉત્તર પ્રદેશની યોગી સરકાર 30 નવેમ્બર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસના ઓફિસરો 50 વર્ષથી વધારે ઉંમરના પોલીસકર્મીઓના ટ્રેક રેકોર્ડ જોયા પછી અનિવાર્ય સેવા નિવૃત્તિ પર નિર્ણય લેશે. આવા પોલીસકર્મીઓની લિસ્ટ હેડક્વાર્ટર મોકલવામાં આવશે. Pacમાં તૈનાત પોલીસકર્મીઓની લિસ્ટ 20 નવેમ્બર સુધીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, રિટાયરમેન્ટની ગાજ એ પોલીસકર્મીઓ પર પણ પડશે જેઓ ભ્રષ્ટ છે. તેમને પહેલા રિટાયર કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે પોલીસ વિભાગમાં કામચોર અધિકારી અને કર્મીઓને પણ નોકરીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. એડીજી સ્થાપનાએ આને લઇ એવા પોલીસકર્મીઓના ટ્રેડ રેકોર્ડ માગ્યા છે જેને લઇ નિર્ણય લઇ શકાય છે.

આવા પોલીસકર્મીઓ કે જેમની સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમનો એન્યુઅલ કોન્ફિડેંશ્યલ રિપોર્ટ(એસીઆર) પણ જોવામાં આવશે. જેમાં પોલીસકર્મીની કાર્યક્ષમતા, ચરિત્ર, યોગ્યતા, મૂલ્યાંકન અને લોકોના પ્રત્યે વ્યવહાર તેમને નોકરીમાં રહેવા કે પછી રિટાયર થવાનો માપદંડ રહેશે.

યોગી સરકારે થોડા દિવસ પહેલા આપેલા સંકેત

જણાવીએ કે, ઉત્તર પ્રદેશ પોલીસમાં કાર્યશૈલીને સુધારવા માટે પાછલા અમુક વર્ષોમાં ઘણાં પોલીસકર્મીઓને યોગી સરકારે જબરદસ્તી સેવા નિવૃત્તિ આપી દીધી છે. પાછલા દિવસોમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, જે ઓફિસરો કે પોલીસકર્મીઓમાં નિર્ણયો લેવાની ક્ષમતા નથી તેમને હટાવીને ચપળ અને કાર્યશીલ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.