ગુજરાતની ચૂંટણી પહેલા લોભામણી વાતો, શું ભાજપ પણ ‘મફતની રેવડી’ વેચશે?

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા લોભામણી વાતોની લાઇન લાગી છે. સવાલ ઉઠે છે કે, શું રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પણ મતદાતાઓને રીઝવવાની કોશિશ પર પોતાની પકડ બનાવી રહી છે. રાજકીય વિશ્લેષકો અનુસાર, પાર્ટીઓ મોટી મોટી વાતો કરી રહી છે, કારણ કે, તેઓ પોતે પોતાના ગજવામાંથી નથી આપી રહી અને આખરે આ વાતોને પોતાના કરદાતાઓના પૈસાથી પૂરી કરી રહી છે.

વિશ્લેષકો અનુસાર, ભાજપે હજુ સુધી એ રસ્તો અપનાવ્યો છે કે, તે લોકોને મફતની રેવડીઓ વેચવાની દોડમાં શામેલ નથી અને મતદાતોને આમ આદમી પાર્ટીની વાતોમાં ન આવવા માટે ચેતવી રહી છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી રાજકારણમાં અપેક્ષાકૃત નવી પાર્ટી છે. તેનું આખું અભિયાન ભાજપને સત્તાથી બહાર કરવા અને વર્ષના અંતમાં થનારી વિધાન સભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવા માટે વ્યાપક મતદાતાઓને આકર્ષવા માટે કેન્દ્રિત છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દર મહિને 300 યૂનિટ સુધી મફત વિજળી, સરકારી સ્કૂલોમાં ફ્રી શિક્ષણ, બેરોજગારી ભત્તુ, મહિલાઓને 1000 રૂપિયાનું ભત્તુ અને નવા વકીલોને માસિક વેતન આપવા જેવી કેટલિક વાતોના આશ્વાસન સાતે પાર્ટીના અભિયાનની શરૂઆત કરી છે. કેજરીવાલ જ્યારે પણ ગુજરાત આવે છે, મતદાતાઓને ઓછામાં ઓછી એક નવી ગેરેન્ટી આપીને જાય છે.

આમ આદમી પાર્ટીને હરાવવાની કવાયતમાં કોંગ્રેસ પણ મતદાતાઓને રિઝવવામાં અને સત્તા પર ફરી આવવા માટે લાંબા સમયથી જોવાઇ રહેલી રાહને ખતમ કરવા માટે લોભામણી વાતો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા રાજ્યમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમની પાર્ટી લોકોને દરેક સગવડો આપશે, જેની આમ આદમી પાર્ટીએ પણ વાત કરી છે. તે સિવાય, તેમણે 500 રૂપિયામાં રસોઇ ગેસના સિલિન્ડર આપવા, કોવિડ – 19 પીડિતોને ચાર ચાર લાખ રૂપિયાની રકમ આપવા અને ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધી કરજ માફીની વાત કરી છે.

હવે દરેકની નજર ભાજપ પર ટકેલી છે અને મોટો સવાલ એ છે કે, શું ગુજરાતમાં બે દાયકાથી વધારે સમયથી સત્તામાં બેઠેલી ભાજપ પણ મતદાતાઓને લોભમણી મફતની રેવડીઓ વેચવાની દોડમાં શામેલ થઇ ગઇ છે કે પછી તે કોઇ અલગ રસ્તો અપનાવશે. ગુજરાતના મતદાતા તેની રાહ જોઇ રહ્યા છે કે, ભાજપ તેમને શું ઓફર આપશે.

અમદાવાદના રહેવાસી કોમલ ચિડવાણીએ કહ્યું કે, આ વખતે અમારી પાસે વિકલ્પ છે કે, જે વધારે વાતો કરશે, તેને વોટ આપીશું. આ વાતોના કારણે આ વખતે અંતિમ વિકલ્પને પસંદ કરવો મુશ્કેલ હશે. રાજકીય વિશ્લેષક હરિ દેસાઇએ કહ્યું કે, દરેક દળ મફતની રેવડીઓ વેચી રહ્યા છે. ભાજપે પહેલા એમ કહ્યું કે, પાર્ટીઓ પોતાના ગજવામાંથી કંઇ નથી આપવાની, તેથી તેમના માટે મોટી વાતો કરવી સરળ છે. તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસને મતદાતાઓનું સમર્થન હાંસલ કરવા માટે લોભામણી વાતો કરવી એ જૂની વાત છે.

દેસાઇએ કહ્યું કે, ભાજપ નેતા કહે છે કે, તેઓ નિશુલ્ક વેક્સીન, ગરીબોને મફત કરિયાણું આપી રહ્યા છે. તેમણે કરદાતાઓના પૈસાથી આ કર્યું છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તેમણે ખેડૂતોના કરજ માફ કર્યા હતા અને કેટલીક મફતની રેવડીઓ વહેંચી હતી. તેમણ કહ્યું કે, ગુજરાતમાં મફતની રેવડીઓ વેચવાની ઘોષણાઓ શરૂ કરવા વાળી આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં પંજાબ સરકારની સ્થિતિ જુઓ. તે સરકારી કર્મચારીઓને સમય પર વેતન પણ નથી આપી શકતી. દેસાઇએ મતદાતાઓને ચેતેલા રહેવા માટે કહ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.