ભાવનગરના દિહોરમાં જ્યારે એક સાથે 10 અર્થી ઉઠી હતી તો આખું ગામ હિબકે ચઢ્યું

ભાવનગરમાં ગુરુવારે બપોરે જ્યારે એક સાથે 10 અર્થી ઉઠી તો આખુ ગામ હિચકે ચઢ્યું હતું. ગામના લોકો જ્યારે ભાવનગરથી મથુરા ખાનગી બસમાં દર્શન કરવા માટે નિકળ્યા હતા ત્યારે રાજસ્થાન પાસે અકસ્માત નડ્યો હતો. 10 લોકોની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું હતું

રાજસ્થાન પાસે બુધવારે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસને પાછળથી આવી રહેલી ટ્રક એટલી જોરદાર ભટકાઇ ગઇ હતી કે મૃતદેહો રસ્તા પર વેરણ છેરણ થઇ ગયા હતા. રસ્તા પર ઉભેલી બસને ટ્રકે 30 ફુટ દુર ધકેલી દીધી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગરના તળાજાથી મથુરા જતી બસને રાજસ્થાન પાસે અકસ્માત નડયો છે અને તેમાં 12 લોકોના મોત થયા છે. અકસ્માતની કરુણાંતિકા એવી છે કે બસમાં ડીઝલની ફાટેલી પાઇપને જોવા માટે મુસાફરો નીચે ઉતર્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારે 12 લોકોને કચડી માર્યા અને બસનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો. ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. હજુ 20 ઓગસ્ટે ઉત્તરાખંડની યાત્રા કરવા ગયેલા ભાવનગરના 7 લોકોના મોત થયા હતા.

ભાવનગરથી ઉપડેલી એક ખાનગી બસ મથુરા જવા નિકળી હતી અને મથુરા પહોંચવામાં એક કલાકની જ વાર હતી, પરંતુ રાજસ્થાનના હંતરા ગામ પાસે બસમાં ખામી ઉભી થતા બસને ઉભી રાખવામાં આવી હતી. બસની ડીઝલની પાઇપ ફાટી હોવાનું જાણ થતા મુસાફરો જોવા માટે નીચે ઉતર્યા હતા, પરંતુ તેમને શું ખબર કે તેમનું બસમાંથી નીચે ઉતરવું અંતિમ પડાવ હશે.

મુસાફરો બસ પાસે ઉભા હતા ત્યારે રાતના અંધારમાં પુરઝડપે આવેલી એક ટ્રકે બસનો કચ્ચરઘાણ વાળી દીધો હતો અને તેમાં 12 લોકોના મોત થયા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે બસને 30 ફુટ જેટલી આગળ ધકેલી દીધી હતી. અચાનક બસમાં ઉથપલપાથલ મચી જતા સુતેલા લોકો જાગી ગયા હતા અને ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઘટના વહેલી સવારે 4 વાગ્યે બની છે.મોતને ભેટેલા 12 લોકોમાંથી 7 પુરુષો અને 5 મહિલાઓ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે

મૃતકોની યાદીઃ અન્નુભાઈ ગ્યાની (55 વર્ષ), નંદરામભાઈ ગ્યાની (68 વર્ષ), લલ્લુભાઇ ગ્યાની, ભરતભાઇ ભીખાભાઇ, લાલજીભાઇ મનજીભાઇ, અંબાબેન ઝીણાભાઇ, કામ્વૂબેન પોપટભાઇ, રામૂ બેન ઉદાભાઇ, મધુબેન, અરવિન્દ ભાઇ દાગી, અંજૂબેન થાપાભાઇ, મધૂબેન લાલજીભાઇ

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.