પાલનપુર પાસે પશુઓથી ભરેલી અધધ..10 ટ્રક ઝડપાઇ, 150 ઢોરને કતલખાને લઇ જવાતા હતા

રાજસ્થાનથી 150 પશુઓને કતલખાને લઇ જવા માટે 10 ટ્રક આવી રહી હતી ત્યારે બાતમીને આધારે ગૌરક્ષકોએ પાલનપુરના ચિત્રાસણી પાસે આ ટ્રકોને અટકાવી હતી તો ટ્રકના ડ્રાઇવરોએ ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો, જો કે જીવના જોખમે બધી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી અને પશુઓને કતલખાને જતા રોકી દેવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ 10 ટ્રકો પોલીસના હવાલે કરી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને, ટ્રક ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પશુઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ, ગૌરક્ષકોની માહિતી મળી હતી કે, ઘાસચારા કે પાણીની કોઇ પણ સગવડ કર્યા વગર 10 ટ્રક 150 પશુઓને લઇને રાજસ્થાનથી નિકળી છે. ગૌરક્ષકોએ પહેરો ભરીને ટ્રક અટકાવી હતી તો ડ્રાઇવરોએ તેમની પર હુમલો કરી દીધો હતો. ટ્રકમાં ભેંસ, ગાય જેવા પશુઓ ખીચોખીસ ભરેલા હતા. ગૌરક્ષકોએ હિંમત કરીને ટ્રકો પોલીસને સોંપી દીધી હતી.

પોલીસે 10 ટ્રક સહિત કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રકનો કબ્જો લઇને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પશુઓને ડીસાના કાંટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. પાંજરાપોળમાં પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો હતો.

જો કે આવું પહેલીવાર બન્યું નથી, હજુ થોડા દિવસ પહેલાંની જ વાત છે, જીવદયા પ્રેમીઓઅ કતલખાને લઇ જવાતા 56 ઘેટા અને 213 બકરાંને છોડાવ્યા હતા. પાલનપુર પશ્ચિમ પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બકરાં અને ઘેટાઓને રાજકોટની પાંજરાપાળોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

6 મહિના પહેલાં પણ કતલખાને લઇ જવાતા 1 હજાર પશુઓને કતલખાને જતા પહેલાં બચાવી લેવામાં આવ્યા હતા. પાલનપુર હાઈવે ઉપરથી આરટી ઓ સર્કલ પાસે પાંચ ટ્રકના ચાલકો ઘેટાં-બકરા ભરી જઈ રહ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમી અને પોલીસે શંકાના આધારે ટ્રકો રોકી તપાસ કરતા ટ્રકોની અંદર 1 હજાર 378 જેટલા ઘેટાં-બકરા ખીચોખીચ ભરેલા હતા. જેમાંથી 21 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. પોલીસે પુછપરછ કરી તો ડ્રાઇવર પાસે પશુઓને હેરાફેરી કરવાની કોઇ પરમીટ નહોતી.

ઘણા લોકો એવા હોય છે, જે પશુઓ પાસેથી બધુ નિચવી લે, પછી પશુઓ કામના ન રહે ત્યારે કતલખાને મોકલી આપતા હોય છે. તેમને પછી ઘાસચારો પણ આપવામાં આવતો નથી.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.