પાલનપુર પાસે પશુઓથી ભરેલી અધધ..10 ટ્રક ઝડપાઇ, 150 ઢોરને કતલખાને લઇ જવાતા હતા

રાજસ્થાનથી 150 પશુઓને કતલખાને લઇ જવા માટે 10 ટ્રક આવી રહી હતી ત્યારે બાતમીને આધારે ગૌરક્ષકોએ પાલનપુરના ચિત્રાસણી પાસે આ ટ્રકોને અટકાવી હતી તો ટ્રકના ડ્રાઇવરોએ ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો, જો કે જીવના જોખમે બધી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી અને પશુઓને કતલખાને જતા રોકી દેવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ 10 ટ્રકો પોલીસના હવાલે કરી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને, ટ્રક ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પશુઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ, ગૌરક્ષકોની માહિતી મળી હતી કે, ઘાસચારા કે પાણીની કોઇ પણ સગવડ કર્યા વગર 10 ટ્રક 150 પશુઓને લઇને રાજસ્થાનથી નિકળી છે. ગૌરક્ષકોએ પહેરો ભરીને ટ્રક અટકાવી હતી તો ડ્રાઇવરોએ તેમની પર હુમલો કરી દીધો હતો. ટ્રકમાં ભેંસ, ગાય જેવા પશુઓ ખીચોખીસ ભરેલા હતા. ગૌરક્ષકોએ હિંમત કરીને ટ્રકો પોલીસને સોંપી દીધી હતી.

પોલીસે 10 ટ્રક સહિત કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રકનો કબ્જો લઇને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પશુઓને ડીસાના કાંટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. પાંજરાપોળમાં પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો હતો.

જો કે આવું પહેલીવાર બન્યું નથી, હજુ થોડા દિવસ પહેલાંની જ વાત છે, જીવદયા પ્રેમીઓઅ કતલખાને લઇ જવાતા 56 ઘેટા અને 213 બકરાંને છોડાવ્યા હતા. પાલનપુર પશ્ચિમ પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બકરાં અને ઘેટાઓને રાજકોટની પાંજરાપાળોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

6 મહિના પહેલાં પણ કતલખાને લઇ જવાતા 1 હજાર પશુઓને કતલખાને જતા પહેલાં બચાવી લેવામાં આવ્યા હતા. પાલનપુર હાઈવે ઉપરથી આરટી ઓ સર્કલ પાસે પાંચ ટ્રકના ચાલકો ઘેટાં-બકરા ભરી જઈ રહ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમી અને પોલીસે શંકાના આધારે ટ્રકો રોકી તપાસ કરતા ટ્રકોની અંદર 1 હજાર 378 જેટલા ઘેટાં-બકરા ખીચોખીચ ભરેલા હતા. જેમાંથી 21 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. પોલીસે પુછપરછ કરી તો ડ્રાઇવર પાસે પશુઓને હેરાફેરી કરવાની કોઇ પરમીટ નહોતી.

ઘણા લોકો એવા હોય છે, જે પશુઓ પાસેથી બધુ નિચવી લે, પછી પશુઓ કામના ન રહે ત્યારે કતલખાને મોકલી આપતા હોય છે. તેમને પછી ઘાસચારો પણ આપવામાં આવતો નથી.

About The Author

Related Posts

Top News

10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

Xiaomiએ 10,000mAh બેટરી ધરાવતો પોતાનો પહેલો સ્માર્ટફોન, Redmi Note 17 Pro Max 5G લોન્ચ કર્યો છે. આ ફોન...
Tech and Auto 
10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

ધોનીએ સ્પષ્ટ કહી દીધું તે ઈમ્પેક્ટ પ્લેયર નહીં બને...' તો 2027 IPLમાં કેવી રીતે રમશે?

મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, એક મોટો અપડેટ સામે આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના...
Sports 
ધોનીએ સ્પષ્ટ કહી દીધું તે ઈમ્પેક્ટ પ્લેયર નહીં બને...' તો 2027 IPLમાં કેવી રીતે રમશે?

દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...

તેલંગાણાના રાજકારણમાં મોટા ધમાકા વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વન મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો...
Politics 
દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું- BJPને હરાવવું એટલું સરળ નથી, જણાવ્યું તેમની પાર્ટીને શું કરવું પડશે

ગુરુવારે મીડિયા સાથે વાત કરતા, સહારનપુર લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના સાંસદ, ઇમરાન મસૂદે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં BJPને...
National 
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું- BJPને હરાવવું એટલું સરળ નથી, જણાવ્યું તેમની પાર્ટીને શું કરવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.