રખડતા હડકાયા કુતરાઓનો આતંક, બારડોલીમાં 12 લોકોને બચકાં ભર્યા, બધા હોસ્પિટલમાં

રખડતા કુતરા અને રખડતા પશુ ગુજરાતમાં એક મોટી સમસ્યા છે અને તેની ચર્ચા ચાલ્યા જ કરે છે. સરકાર હમેંશા આગ લાગે ત્યારે કુવો ખોદવા નિકળે છે. પછી બધું ઠેરનું ઠેર. હવે સુરત જિલ્લાના એક તાલુકામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બારડોલીમાં રખડતા હડકાયા કુતરાઓએ ભારે આતંક મચાવ્યો છે અને 12 લોકોને કરડી ખાધા છે. આ બધા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે બારડોલીમાં હડકાયા કુતરાઓએ 12થી વધારે લોકોને કરડી લેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને જેમને કુતરા કરડી ગયા છે એ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બારડોલીમાં ધૂળિયા ચોકડી સહિત જુદા જુદા વિસ્તારોમાં હડકયા કુતરા કરડવાની ઘટના સામે આવી છે, 6 લોકોને સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 6 લોકો જુદી જુદી હોસ્પિટલમાં દાખલ છે. બારડોલી પાલિકા હવે ઉંઘમાંથી જાગી છે અને હડકાયા કુતરાઓને પકડવાની કામગીરી ચાલી રહી છે.

સુરત શહેરમાં પણ થોડા મહિનાઓ પહેલાં કુતરાઓએ ભારે આતંક મચાવ્યો હતો અને એક નાનકડી બાળકીને ફાડી ખાધી હતી. એ પછી પાલિકાનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ થોડા સમય પછી લોકો પણ શાંત થઇ ગયા અને તંત્ર પણ શાંત પડી ગયું હતું.

ડોકટરોનું કહેવું છે કે, કુતરો કરડે તેના 24 કલાકની અંદર જ હડકવા વિરોધી ઇંજેકશન મુકાવી દેવું જરૂરી છે. જો તમે આમાં બેદકરકારી કરશો તો અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ઘણીવાર કુતરો કરડયા પછી 5 ઇંજેકશનનના આપવા પડે છે, પરંતુ પહેલું ઇંજેકશન તો 24 કલાક પહેલાં લઇ જ લેવું. એ પછી ત્રીજા દિવસે,7 મા દિવસે, 14માં દિવસે અને છેલ્લે 28માં દિવસે ઇંજેકશન લેવું પડે છે.

તબીબોનું કહેવું છે કે જ્યારે હડકવા વિરોધી રસી આપ્યા પછી ઘણા દર્દીઓને તાવની સમસ્યા ઉભી થાય છે, પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.

આરોગ્યના નિષ્ણાતોનું કહેવું છે કે ઇંજેકશન તો તમારે 24 કલાકની અંદર મુકાવવાનું જ છે, પરંતુ એ પહેલાં પણ તમે થોડી તકેદીરા રાખી શકો છો. જેમ કે, જે ભાગમાં કુતરાએ કરડી ખાધું છે તે ભાગને સાબુથી સૌથી પહેલાં ધોઇ નાંખો. જો કોઇ સંજોગોમાં ઘા ઉંડો હોય તો સાબુથી ધોયા પછી બેટાડીન મલમ લગાવો. આ હડકવા વાયરસની અસરને ઓછી કરવામાં થોડી મદદ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.