રામ કથામાંથી 52 લાખ ભેગા કરીને 14 વર્ષની છોકરીએ કર્યું રામ મંદિર માટે દાન

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતની રહેવાસી ભાવિકા મહેશ્વરીએ નાની ઉંમરમાં રામ મંદિર માટે મોટું કામ કર્યું છે. ભાવિકા રામકથા કહે છે. હાલના દિવસોમાં ભોપાલમાં આયોજિત રામાયમ અધિવેશનમાં તે ગઈ છે.

14 વર્ષની છોકરીએ રામ મંદિર માટે કર્યું મોટું કામ, રામ કથામાંથી ભેગા કરેલા 52 લાખ રૂપિયાનું કર્યું દાન ભોપાલના માનસ ભવનમાં આયોજિત 3 દિવસીય પંચમ આંતરરાષ્ટ્રીય રામાયણ અધિવેશનમાં દેશ વિદેશમાંથી લગભગ 80 સંશોધકો સામેલ થયા છે. ઘણા દેશોમાંથી આવેલા સંશોધકોએ રામ અને રામાયણ પર પોતાના પેપર પણ રજૂ કર્યા છે. સુરતમાં રહેતી માત્ર 14 વર્ષની ભાવિકા મહેશ્વરી પણ ત્યાં રામાયણ પર પોતાનું પેપર આપવા ગઈ હતી. ભાવિકા એ છોકરી છે, જેણે રામાયણની કથા સંભળાવીને 52 લાખ રૂપિયા ભેગા કર્યા. સાથે જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાન કર્યા છે.

અધિવેશનમાં પેપર રજૂ કરનાર ભાવિકા મહેશ્વરીએ કહ્યું કે, રામાયણ અધિવેશનમાં મને પણ તક મળી. હું પણ મારું પેપર અહીં વાંચી શકું છું. રામાયણમાંથી લીડરશિપ અને બિઝનેસની અંદર શું આપણને શીખવા મળે છે. જેમ કે, લીડરશિપની અંદર આપણને એ શીખ મળે છે. આપણે આપણા કર્મચારીઓને એ જણાવીએ કે આપણે કોઈનાથી ઓછા નથી. લોકોમાં ઘણી શક્તિ હોય છે. પોતાની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરો.

ભાવિકા મહેશ્વરીએ જણાવ્યું કે હું હાલમાં 14 વર્ષની થઈ છું. રામાયણ વાંચવાનો શ્રેય હું મારા માતા-પિતાને આપું છું. તેમણે મારા પર દબાણ નથી કર્યું. લોકડાઉનમાં તેમણે મને ભણાવી તો મને પણ ઘણો રસ પડ્યો. હું બે ત્રણ વર્ષની હતી, ત્યારે જ માતા-પિતા ઈચ્છતા હતા કે હું આધ્યાત્મિકતા કરું. હું સારી રીતે બોલતા શીખી જાઉં. પપ્પા હંમેશા કહેતા હતા કે જો તું બોલતા શીખી જઈશ તો ક્યારેય જીંદગીમાં દુઃખી નહિ થશે.

તેણે કહ્યું કે, યુટ્યુબ પર મારા વીડિયો જોશો તો મેં પાંચ વર્ષની હતી ત્યારથી બોલવાનું શરૂ કરી દીધું હતું. તે સમયથી મેં બોલવાનું શરૂ કરી દીધું હતું. હું હચમચી જતી હતી પણ સમજતી હતી કે હું શું બોલી રહી છું. હું જ્યારે 10 વર્ષની હતી ત્યારે મેં મોબાઈલ વ્યસન પર 10,000થી વધુ બાળકો સાથે પરસ્પર વાતચીત કરી હતી. પહેલા તો આજના બાળકો કાલનું ભવિષ્ય છે. મેં તેના પર એક વીડિયો સિરીઝ બનાવી હતી. પપ્પાએ સજેસ્ટ કર્યું કે આપણે આને પુસ્તકમાં કન્વર્ટ કરી દઈએ અને આ રીતે પુસ્તક બની ગયું.

આ સાથે જ ભાવિકાએ કહ્યું કે જુઓ રામાયણને ક્યારેય આપણે એ રીતે ન વાંચવું જોઈએ કે તે સનાતન ધર્મનું છે, હિંદુ ધર્મનું છે. રામાયણ આપણે એ વિચારીને વાંચવું જોઈએ કે તે એક જીવન જીવવાની રીત છે. તેમાં આપણને જીવન જીવવાની રીત જણાવવામાં આવી છે. ક્યારેય પણ આપણે આ વિચારમાં પડીશું તો પછી તો કંઈ જ નહીં થશે. પહેલા તો આપણે આ વિચારને દૂર કરીને એ વિચાર લાવવાનો છે કે, રામાયણ આપણને જીવન જીવવાની રીત જણાવે છે.

ભાવિકા મહેશ્વરીએ કહ્યું કે મેં દાન નથી કર્યું. આ સમર્પણ છે. સુરતમાં, અમે 14 જાન્યુઆરીથી રામ મંદિર માટે દાન એકત્રિત કરવાનું શરૂ કર્યું. ચાર મહિનામાં અમે સાત-આઠ કથાઓ કરી છે. તેમાંથી જે મળ્યું, તેને અમે રામ મંદિર માટે દાન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp