સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBC માટે 27 ટકા અનામત, ગુજરાત સરકારની મોટી જાહેરાત

સ્થાનિક સ્વરાજની સંસ્થામાં OBC માટે 27 ટકા અનામત રાખવાની ગુજરાત સરકારે મંગળવારે મોટી જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં OBC માટે 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઝવેરી પંચના અનામત અંગેના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં OBCને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે. જેમાં કુલ બેઠકો કરતા 50 ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. SC-STની બેઠકો માટે કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજ્ય સરકારના પ્રવક્તા પટેલે આગળ કહ્યું કે, 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસ્તી 50 ટકા કરતા વધારે છે. આ વિસ્તારોમાં વસતી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. OBC માટે જે 10 ટકા બેઠકો છે તે યથાવત રહેશે. પટેલે કહ્યુ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઝડપથી થાય એમાં સરકારને રસ અને બાવના સીમાંકન પ્રમાણે ચૂંટણી યોજાશે.

જાણકારોનું કહેવું છે કે જ્યારે સામાજિક રીત જોઇએ તો OBC સમાજની વસ્તી વધારે છે ત્યાં 27 ટકા અને વસ્તી ઓછી છે ત્યાં પણ 27 ટકા અનામત લાગુ પડશે. એટલે સામાજિક રીતે અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા છે. દાખલા તરીકે બનાસકાંઠામાં ઓબીસી સમાજની વસ્તી 70 ટકા છે તો ત્યાં 27 ટકા જ અનમાત મળશે અને ભરૂચમાં ઓબીસી સમાજની વસ્તી 5 ટકા છે તો ત્યાં પણ 27 ટકા અનામત મળશે. એટલે સંતુલન ખોરવાઇ શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.