5 વર્ષમાં ચોથું વાવાઝોડું, અચાનક ગુજરાત તરફ શા માટે આવી રહ્યા છે આટલા તોફાનો

ગુજરાતમાં 15 જૂને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજૉયની આહટ છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, ગત પાંચ વર્ષોમાં ગુજરાત તટને પ્રભાવિત કરનારું આ ચોથું મોટું ચક્રવાત છે. આ પહેલા 2019માં ચક્રવાત વાયુને કારણે ભૂસ્ખલન થયુ પછી 2020માં મહારાષ્ટ્રમાં આવનારા નિસર્ગ તોફાને તટીય ગુજરાતમાં ભીષણ વરસાદથી નુકસાન પહોંચાડ્યું. વર્ષ 2021માં તૌક્તાઈએ દીવ-ઉના પાસે એક ભૂસ્ખલન કર્યું, જેને કારણે વ્યાપક વિનાશ થયો. ગુજરાતે 1998થી અત્યારસુધી 20 વર્ષોમાં ચાર મોટા ચક્રવાતોનો સામનો કર્યો. કંડલા સાથે ટકરાનારા એક સુપર ચક્રવાતે તો માનવ જીવન અને સંપત્તિને એવુ નુકસાન પહોંચાડ્યું, જેના નિશાન 2018 સુધી જોવા મળ્યા હતા.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, જળવાયુ પરિવર્તને ગુજરાતને ચક્રવાતો પ્રત્યે સંવેદનશીલ બનાવી દીધુ છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ, ગુજરાતના પ્રમુખ મનોરમા મોહંતીએ કહ્યું, જળવાયુ પરિવર્તન અરબ સાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોમાં વૃદ્ધિ માટે જવાબદાર ઘણા કારણો પૈકી એક મહત્ત્વપૂર્ણ કારણ છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, લક્ષદ્વીપ સમુહની આસપાસ ચક્રવાતોની ઉત્પત્તિથી લઇને ગુજરાત સુધી ફનલના આકારની તટીય રેખા એક કારણ છે, જેને કારણે ચક્રવાત સૌરાષ્ટ્ર અને કચ્છના તટો સાથે ટકરાય છે. એક અધિકારીએ કહ્યું, ભવિષ્યમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં સરેરાશ તટીય સમુદ્રના તાપમાનમાં વૃદ્ધિના કારણે રાજ્યમાં વધુ સંખ્યામાં ચક્રવાત આવી શકે છે.

રાજ્ય પ્રશાસને બિપરજૉય માટે યુદ્ધસ્તર પર તૈયારીઓ કરી છે. IMD અધિકારીઓ દ્વારા તાજા પ્રક્ષેપણના સંકેત આપ્યા કે કચ્છ-પાકિસ્તાન સરહદ ક્ષેત્ર પહેલાના અનુમાનોની સરખામણીએ જખાઉ પાસે લેન્ડફોલ થઈ શકે છે.

PM નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર સાથે ગુજરાતમાં ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરી. બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. PMએ ટ્વિટ કર્યું, આવનારા ચક્રવાત બિપરજૉયને ધ્યાનમાં રાખીને તૈયારીઓની સમીક્ષા માટે એક બેઠક કરવામાં આવી. અમારી ટીમો સંવેદનશીલ ક્ષેત્રોમાંથી સુરક્ષિત લોકોને બહાર કાઢવા અને આવશ્યક સેવાઓની જાળવણીને સુનિશ્ચિત કરી રહી છે. તમામની સુરક્ષા અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું.

ગુજરાત તટ તરફ વધતા ચક્રવાતો માટે 2021માં ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થાના શોધકર્તાઓએ દાવો કર્યો હતો. તેમના અનુસાર, 1982 અને 2000ની સરખામણીમાં 2001 અને 2019ની વચ્ચે અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની આવૃત્તિ અને અવધિમાં 52% ની વૃદ્ધિ થઈ છે. આ અવધિ દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનોમાં 8% નો ઘટાડો આવ્યો છે, જે ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોની પેટર્નમાં એક પ્રમુખ બદલાવના સંકેત છે. ચક્રવાત ભેદ્યતા પર IMDના હાલમાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતે હાલના દિવસોમાં ભારતના પશ્ચિમી તટ પર રાજ્યોની વચ્ચે ભેદ્યતામાં વૃદ્ધિ જોવા મળી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.