વડોદરા:દશા મા પ્રતિમાના વિર્સજનમાં 5 યુવાનો ડુબ્યા, 2ના મૃતદેહ મળ્યા, 3ની શોધખોળ

વડોદરા આનંદપૂર્વક ઉજવાતા દશામા મહોત્સવે ગુરુવારે શોકમાં ફેરવાઇ ગયો હતો. કારણ કે વડોદરા નજીક મહિસાગર નદીમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે પાંચ યુવાનો ડૂબી ગયા હતા. જેમાં બે યુવાનોનો સમાવેશ થાય છે, જેમાંથી એક હોમગાર્ડ જવાન હતો, જેણે સિંહરોટ મહી નદીમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે સાવલી તાલુકાના કનોડા ગામ પાસેના રણછોડપુરા ગામના અન્ય ત્રણ યુવાનો ડુબી જવાની ઘટના બની છે. વડોદરા ફાયર બ્રિગેડ અને લશ્કરની ટીમો દ્વારા લાપતા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 યુવાનોની લાશ મળી છે, જ્યારે 3ની શોધખોળ ચાલી રહી છે.

વડોદરામાં મહીસાનગર નદીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા ગયેલા 5 યુવાનો ડુબી જવાની ઘટનાએ ઉત્સવનો ઉત્સાહ ઓસરી ગયો હતો અને પરિવારોમાં માતમ છવાઇ ગયો હતો. બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 3ની હજુ સુધી શોધખોળ ચાલી રહી છે.

જાણવા મળેલી વિગત મુજબ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષનો પ્રજ્ઞેશ માછી સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પર દશામાની પ્રતિમાના વિસર્જન માટે ગયો હતો. પ્રજ્ઞેશની સાથે તેનો મિત્ર સાગર કુરી જે હોમગાર્ડમાં નોકરી કરતો હતો તે પણ ગયો હતો. પ્રજ્ઞેશ ધસમસતા પાણીમાં તણાવા લાગ્યો હતો તો તેને બચાવવા સાગર પણ કુદી પડ્યો હતો.

આ ઉપરાંત વડોદરાના સાવલી તાલુકાના રણછોડપુરા ગામના 32 વર્ષનો સંજય ગોહિલ, 20 વર્ષનો કૌશિક ગોહિલ અને 15 વર્ષનો વિશાલ ગોહિલ એમ 3 યુવાનો કનાડા પાસેની મહી નદીમાં દશામાની પ્રતિમાના વિસર્જન માટે ગયા હતા અને ડુબી ગયા હતા. એક જ ગામના 3 યુવાનોના મોતને પગલે રણછોડપુરા ગામમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.ઘણા પરિવારોએ દશામાની ઉજવણી ધામધૂમથી કરી હતી અને વિસર્જનના દિવસે આ ઘટના બની.

ફાયર બ્રિગેડે નદીમાં શોધખોળ કરતા સંજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે કૌશિક અને વિશાલની શોધખોળ કરવામાં આવી રહી છે. જાણવા મળેલી વિગત મુજબ સંજય ગોહિલ પરણિત છે અને તેમને બે સંતાનો છે. સંજય ગોહિલ ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. જ્યારે કૌશિક ગોહિલ કોલેજમાં અભ્યાસ કરે છે અને વિશાલ ગોહિલ 10માં ભણે છે. સંજય ગોહિલ અને કૌશિક ગોહિલ તેમના પરિવારના એકના એક સંતાન છે.

કિશનવાડી વિસ્તારમાં રહેતા પરિવારજનોએ આક્ષેપ મુક્યો હતો કે સિંઘરોટમાં જોખમ હોવાની ખબર હોવા છતા તંત્રએ કોઇ વ્યવસ્થા ગોઠવી નહોતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.